વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના મહામારીના પ્રકોપથી બે વર્ષ બાદ વૈશ્વિક COVID-19 મહામારીને સમાપ્ત કરવાના માપદંડો પર વિચારણા કરવાની શરૂ કરી દીધી છે. જીનેવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી.
WHOના નિષ્ણાંતો કરી રહ્યાં છે મોટી તૈયારી
કોરોના મહામારીને સમાપ્ત કરવાના માપદંડો પર વિચારણા શરૂ
સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સમાપ્ત થઇ ગયાના સંકેત પર WHOની નજર
આમ, તો વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સી વર્તમાનમાં કોરોના ઇમરજન્સીને ખતમ કરવાની જાહેરાત પર વિચાર નથી કરી રહી, પરંતુ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, કઇ પરિસ્થિતિ એ સંકેત આપશે કે સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સમાપ્ત થઇ ગયેલ છે. અનેક દેશોએ હવે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાવ્યો છે, પરંતુ હોંગકોંગમાં મૃત્યુદરમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સપ્તાહમાં ચીનમાં બે વર્ષમાં પ્રથમ વાર 1,000 થી વધારે નવા કેસો નોંધાયા છે.
.....તો કોરોના મહામારી આ જ વર્ષે સમાપ્ત થઈ શકે છે
કોરોના પર ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઇમરજન્સી કમિટી આંતરરાષ્ટ્રીય ચિંતાના સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીને સમાપ્ત જાહેર કરવા માટે જરૂરી માપદંડોને જોઈ રહી છે. બ્લૂમબર્ગના અનુસાર, WHOએ એક ઇમેઇલમાં કહ્યું કે, "કોરોના પર ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઇમરજન્સી કમિટી આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીને સમાપ્ત કરવા માટે જરૂરી માપદંડોને જોઈ રહી છે." જો કે, તેને 'હજુ સુધી, કોઇ જ નિર્ણય નથી કર્યો.'
ગયા મહિને WHOમાં ઇમરજન્સી સ્થિતિના પ્રમુખે કહ્યું હતું કે, 'જો રસીકરણ અને દવાઓમાં વિશાળ અસમાનતાઓને ઝડપથી સંબોધવામાં આવે તો કોરોના મહામારી, મોતની સંખ્યા, હોસ્પિટલમાં દાખલ થવું તેમજ લોકડાઉન એ તમામ આ જ વર્ષે સમાપ્ત થઈ શકે છે.'
આપણે વાયરસને ક્યારેય ખતમ નથી કરી શકતા : માઈકલ રયાન
વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજિત વેક્સિન ઈક્વિટી પર એક પેનલ ચર્ચા દરમિયાન બોલતા માઈકલ રયાને જણાવ્યું હતું કે, "આપણે વાયરસને ક્યારેય ખતમ નથી કરી શકતા." કારણ કે આ પ્રકારની મહામારી વાયરસ "આખરે ઈકોસિસ્ટમનો ભાગ બની જાય છે."
એક ન્યુઝ ચેનલા રિપોર્ટ અનુસાર, તેઓએ કહ્યું કે, "અમારી પાસે આ વર્ષે સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીને સમાપ્ત કરવાનો એક મોકો છે પરંતુ ત્યારે કે જ્યારે આપણે તે વસ્તુઓ કરીએ કે જેના વિશે આપણે વાત કરી રહ્યાં છીએ.''