વાયનાડમાં પ્રચાર દરમિયાન વારાણસીથી ચૂંટણી લડવાના સવાલ પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ મને વારાણસીથી ચૂંટણી લડવાનું કહેશે તો મને ખૂબ ખુશી થશે. આમ, ફરી એકવાર વારાણસીમાં હાઇવોલ્ટેજ જંગને લઇ ચર્ચા જામી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં ચૂંટણી લડવાને લઇ અટકળો તેજ થઇ છે. અગાઉ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ આ અંગે કહી ચૂક્યા છે કે, પ્રિયંકા પીએમ મોદીને ટક્કર આપી શકે છે. ત્યારે હવે ફરી એકવાર પ્રિયંકા ગાંધીએ વારાણસીથી લડવાને લઇ પ્રતિક્રિયા આપી છે.
વાયનાડમાં પ્રચાર દરમિયાન વારાણસીથી ચૂંટણી લડવાના સવાલ પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ મને વારાણસીથી ચૂંટણી લડવાનું કહેશે તો મને ખૂબ ખુશી થશે. આમ, ફરી એકવાર વારાણસીમાં હાઇવોલ્ટેજ જંગને લઇ ચર્ચા જામી છે. ઉલ્લેખનીય છે કે, વારાણસી બેઠકને લઇને કોંગ્રેસ પોતાના ઉમેદવારને લઇને અસમંજસમાં છે.
કોંગ્રેસે વારાણસીમાં હાલમાં જ એક આંતરિક સર્વે કરાવ્યો છે જેથી કોંગ્રેસની મજબૂતીનું આકલન કરી શકાય. ત્યારે સ્થાનિક નેતાઓ પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવવાની માગ કરી રહ્યા છે. વાયનાડ ખાતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો તેઓ ખુશી-ખુશી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે.
આ અગાઉ પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં પુલવામા હુમલાના એક શહીદ પરિવાર સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારને ધ્યાનમાં લઇને આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારો સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે જો કોંગ્રેસ અધ્યક્ષ મને ચૂંટણી લડવા જણાવશે તો મને ચૂંટણી લડવાને લઇને ખુશી થશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંક ગાંધીએ રવિવારે વાયનાડમાં મક્કામકુન્નુ જઇને શહીદ પરિવાર સાથે મુલાકાત કરી હતી.