નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે અનુસૂચિત જાતીઓ અને જનજાતીઓ માટે બનાવવામાં આવતી યોજનાઓમાં (SCSP અને TSP)ને 40 ટકા ભાગ તેમને ડાયરેક્ટ કન્ડિશનલ કૈશ ટ્રાન્સફર તરીકે આપવામાં આવશે. આયોગનું સૂચન છે કે જે પરિવારોની આવક મહિને 5 હજારથી પણ ઓછી છે. તેમના માટે આને લાગૂ કરવામાં આવશે. સાથે બાકીના60 ટકા ભાગમાં તે જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર આપવામા આવશે. જ્યાં અનૂસૂચિત જાતીઓ અને જનજાતીઓની મોટી સંખ્યા છે.
દર મહિને 4959 રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે
આ પ્રતિ પરિવાર 1310 રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે
માળખાગત સુવિધાના વિકાસનો ખર્ચ થશે આટલો
એક અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર નીતિ આયોગ તરફથી હજું કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે ભારત સરકારે પણ આવા પ્રસ્તાવને કોઈ મંજૂરી આપી નથી.
પ્રતિ વ્યક્તિ વહેંચવામાં આવે તો તે કેટલું થાય
એક અખબારના જણાવ્યાનુંસાર ગત 3 બજેટમાં એસસી અને એસટીના કલ્યાણ માટે ફાળવવામાં આવેલા 40ટકા 36, 493 કરોડ રુપિયા 48882 કરોડ રુપિયા અને 54764 કરોડ રુપિયા ભાગ આ કેશ ટ્રાન્સફર નીતિ હેઠળ આવશે. નીતિ આયોગના પ્રસ્તાવ અનુસાર આને જો પ્રતિ વ્યક્તિ વહેંચવામાં આવે તો કેટલા થશે. આયોગે પ્રસ્તાવમાં કહ્યું છેકે 5 હજાર દર મહિને કમાનારા લોકોને આ લાગૂ પડશે.
દર મહિને 4959 રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે
શ્રમ બળ સર્વેક્ષણ (PLFS)ની એક રિપોર્ટ મુજબ વર્ષ 2018-19 ભારતમાં 263.9 મિલિયન પરિવાર ચે. જેમાં51.8 મિલિયન અને 23.5 મિલિયન એસસી-એસટીના ઘર છે. એસસી-એસટી પરિવારોની 5 હજાર રુપિયાથી ઓછી આવકનો ભાગ 11.6 ટકા અને 19.2 ટકા છે. જે લગભગ 9.2 મિલિયન ઘરોના ભાગે આવે છે. એનો મતલબ છે કે 2020-21ના બજેટમાં ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ કરવામાં આવે તો દર મહિને 4959 રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે છે. જો આ કેશ ટ્રાન્સફરની મર્યાદા દર મહિને 10 હજાર રુપિયા સુધી વધારવામાં આવે તો આ પ્રતિ પરિવાર 1310 રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે છે.
માળખાગત સુવિધાના વિકાસનો ખર્ચ
નીતિ આયોગે પ્રસ્તાવ આપ્યો છે કે બચેલી 60 ટકા હાજર SCSP અને TSP રકમ SC અને STથી વધારે વસ્તીવાળા માળખાગત ઢાંચાના વિકાસમાં ખર્ચ કરવો જોઈએ. જો એવું કંઈક થાય છે તો પશ્વિમ બંગાળને આનો સૌથી વધારે લાભ મળશે. પશ્ચિમ બંગાળમાં લગભગ 90 ટકા જિલ્લા અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સૌથી વધારે વસ્તી ધરાવતા મુખ્ય 20 જિલ્લામાંથી એક છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના ત્રણ ચતુર્થાંસ જિલ્લાના મુખ્ય 20 ટકા જિલ્લા શામિલ છે.
આ લોકો રહી શકે લાભથી વંચિત
જોકે PLFSના સર્વેમાં તે સામાજિક સમૂહોના 13 ટકા પરિવારોને સમાવિષ્ઠ નથીં કરવામાં આવ્યા જેમની પાસે કમાણી કરનારા સભ્યો જ નથી. સાથે ભાડા તથા રોકાણ પર મળી રહેવા વ્યાજ પર થઈ રહેલી આવક સાથે સંકળાયેલા છે.