તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન છે. પ્રધાનમંત્રી મોદી ચુપ છે. જો વર્ષના અંત સુધીમાં 5 ટકા પહોંચે છે તોપણ આપણે ભાગ્યશાળી રહીશું.
પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું
અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન
દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી
ઉલ્લેખનીય છે કે ડો. અરવિંદ સુબ્રમણ્યમે 5 ટકા વિકાસ દરની ચેતાવણી આપી હતી. અસલમાં આ 5 ટાક નથી, આ 1.5 ટકાથી ઓછો છે, કારણ કે GDP નક્કી કરવાની રીત શંકાસ્પદ છે.
તિહાડ જેલમાંથી 106 દિવસ બાદ બુધવારે સાંજે જેલમાંથી બહાર નિકળ્યાં. ચિદમ્બરમે આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું. ચિદમ્બરમને INX મીડિયાને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB) ની મંજૂરી આપવાના મામલે CBI દ્વારા 21 ઓગસ્ટે ધરપકડ કરી હતી. આ મામલો ત્યારનો છે જ્યારે ચિદમ્બરમ દેશના નાણા મંત્રી હતી.
ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. નોટબંધી, GST અને ટેક્સ ટેરરિજમ થી દેશની અર્થવ્યવસ્થા પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આ સરકારે અચ્છે દિન લાવવાનું વચન આપ્યું હતું.
હું તમારી સમક્ષ 6 ત્રિમાસિક આંકડાઓ રાખી રહ્યો છું. 8 ટકાથી 7, 6.6, 5.5, 5 અને 4.5 ટકા. શુ આ છે સરકારના અચ્છે દિન. ચિદમ્બરમે કહ્યું કે પરત આવતા હું ખુશ છું. સરકાર સંસદમાં મારો અવાજ દબાવી શકશે નહીં.