પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સતત બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. હાલ પીએમ મોદીના નવા મંત્રીમંડળને લઇને ઘણા ક્યાશ લગાવાઇ રહ્યા છે. અટકળો લગાવાઇ રહી છે કે પીએમ મોદી અમિત શાહને સરકારમાં સામેલ કરી રહ્યા નથી.
તેમનું માનવું છે કે આવનારા કેટલાક મહીનામાં ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં પાર્ટીની કમાન કોઇ બીજાને આપવાથી તેમને નુકશાન ઉઠાવવું પડી શકે છે. જાણો અહીં 10 મહત્વપૂર્ણ બાબત.
1 ) સૂત્રો અનુસાર શું અમિત શાહ નવી સરકારનો હિસ્સો બનશે એને લઇને બીજેપીમાં ચર્ચા ચાલી રહી છે.
2) બીજેપીના એક જૂથનું માનવું છે કે અમિત શાહને હાલ બીજેપી અધ્યક્ષ પદેથી હટાવવા ન જોઇએ. ખાસ કરીને જ્યારે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પ.બંગાળ અને દિલ્હીમાં આવનારા કેટલાક મહીનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
3) રાજ્યસભામાં પોતાની સ્થિતિ વધુ સારી બનાવવા માટે બીજેપીએ વિધાનસભામાં ચૂંટણીમાં પણ વધુ સારું પ્રદર્શન કરવું જરૂરી છે. વર્તમાન સમયમાં રાજ્યસભાના 250 સભ્યોમાંથી એનડીએના 99 સભ્યો છે.
4) સૂત્રો અનુસાર બીજેપીના નવા અધ્યક્ષની વાત કરવી અટકળ માત્ર છે.
5) સૂત્રો અનુસાર નવી સરકારમાં પહેલાની સરકારના ઘણા મંત્રીઓને જગ્યા મળી શકે છે.
6) તમામ મંત્રીઓને એનડીએ-2 કાર્યકાળમાં શરૂઆતી 100 દિવસની યોજના બનાવવા કહેવામાં આવ્યું છે.
7) ચૂંટણી હારી ચૂકેલા મંત્રીઓને નવા મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.
8) આ વખતે ગૃહ, નાણા, રક્ષા અને વિદેશ મંત્રાલયમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે.
9) અરૂણ જેટલીના સ્વાસ્થ્યને જોતા તેમને બીજી વાર નાણામંત્રી બનાવવાને લઇને ચર્ચા થઇ રહી છે. બીજેપી તેમને ફરીવાર મંત્રી બનાવી શકે છે.
10) નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC ના સભ્ય રાષ્ટ્ર્ના વરિષ્ઠ નેતા પણ સામેલ થઇ શકે છે. જેમા ખાસ કરીને બાંગ્લાદેશ, મ્યાન્માર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે.