ભારત આવતા મહિનાથી કેટલાક દેશો સાથે 'ટ્રાવેલ બબલ્સ' બનાવવાનું વિચારશે. જો ટ્રાવેલ બબલને સરળ ભાષામાં કહીએ તો પસંદ કરેલા દેશોનો એક સમૂહ જેમાં એક દેશના નાગરિકો અને બીજા દેશમાં મુસાફરી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ ટ્રાવેલ બબલ બનાવે છે. તો આ ત્રણ દેશોના નાગરિકો આ 3 દેશોમાં મુસાફરી કરી શકે છે. જ્યારે કે આ સમય દરમિયાન આ દેશોના અન્ય દેશોના નાગરિકો ન તો અહીંથી આવી શકશે અને ન જઇ શકશે.
ભારત કેટલાક દેશો સાથે 'ટ્રાવેલ બબલ્સ' બનાવવાનું વિચારશે
ટ્રાવેલ બબલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવાનું વિચારશે
માં 24 ઓગસ્ટ પછીથી તેમના ભાવમાં વધારો થઈ શકે છે
ઉપરાંત ભારત બે ટ્રાવેલ બબલમાં જોડાય છે. જેમ કે પહેલા બબલમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ. બીજા બબલમાં ભારત, અમેરિકા અને બ્રિટન. આવી સ્થિતિમાં ભારતના નાગરિકો શ્રીલંકા, બાંગ્લાદેશ, યુએસએ અને યુકે જઈ શકશે. તેમજ આ દેશોના નાગરિકો પણ ભારતમાં મુસાફરી કરી શકશે. પરંતુ આ સમય દરમિયાન શ્રીલંકા-બાંગ્લાદેશ અને યુએસ-યુકેના નાગરિકો એકબીજા દેશોમાં મુસાફરી કરી શકશે નહીં. કારણ કે તેમનો ટ્રાવેલ બબલ જુદો જુદો છે.
સરકારને આશા છે કે જુલાઇના મધ્ય સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા કોરોનાના પહેલા સ્તરે પહોચી શકે છે. ત્યારબાદ તે આવા દેશો સાથે દ્વિપક્ષીય ટ્રાવેલ બબલની વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવાનું વિચારશે.
આ દરમિયાન એવી સંભાવના છે કે 24 ઓગસ્ટથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે. હકીકતમાં 25 મેના રોજ સ્થાનિક ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવા માટે ભાડાની મર્યાદા ત્રણ મહિના માટે નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં 24 ઓગસ્ટ પછીથી તેમના ભાવમાં વધારો થઈ શકે છે.
ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "રોગચાળા પહેલા અમારી પાસે દરરોજ 3 થી 3.5 લાખ ઘરેલું મુસાફરો હતા." 25 મે ના રોજ અમે 30,000 મુસાફરો સાથે ઘરેલું વિમાન યાત્રા ફરી શરૂ કરી. ત્યારબાદ એક જ દિવસમાં સૌથી વધુ 72,000 ઘરેલું મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા છે. હું જુલાઈના મધ્ય પહેલા 1.5-1.6 લાખ ઘરેલું મુસાફરોની અપેક્ષા કરું છું. જે પૂર્વ-કોરોના સ્તરનો અડધો ભાગ છે. ત્યારબાદ અમે એક-એક દેશના આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનું વિચારીશું.