નવી દિલ્હીઃ સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક સરપ્રાઇઝ આપવાનું હથિયાર છે. આને સરપ્રાઇઝ જ રહેવા દો. તેઓ ભારતીય સેનાને પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના સવાલ પર જવાબ આપી રહ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે વાતાઘાટ રદ્ થવા પર સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે ભારત સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે શાંતિ વાર્તા અને આતંકવાદ એક સાથે ન થઇ શકે. સરકારે વાર્તા રદ કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે.
રાવતે કહ્યું કે અમારી સરકારની નીતિ છે કે વાતચીત અને આતંકવાદ એકસાથે ન થઇ શકે. અમે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ કંઇક એવું કરીને દેખાડે જેનાથી સાબિત થાય કે તેઓ આતંકવાદને સમર્થન નથી કરી રહ્યા.
જનરલ રાવતે પાકિસ્તાન સામે ઇશારો કરતા કહ્યું કે તમે પોતે વારંવાર બોલો છો કે પોતાની સરહદનો ઉપયોગ બીજા દેશના વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિ વિરૂદ્ધ નહીં થવા દઇએ. પરંતુ અમે જોઇ રહ્યા છીએ કે આતંકવાદી ગતિવિધિ થઇ રહી છે અને આતંકવાદી સરહદ પારથી આવી રહ્યા છે.