મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક પત્નીએ સુહાગરાતે એવી વાત કીધી કે પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા.
મધ્યપ્રદેશના ગ્વાલિયરની બની હતી ઘટના
સુહાગરાતે પત્નીએ પતિને કીધું
લગ્ન પહેલા મારો રેપ થયો હતો
પતિએ છુટાછેડા લઈ લીધા
સત્ય પળવારમાં જીવન બર્બાદ કરી શકે છે. જીવનમાં બચી જવા લોકો અસત્યને માર્ગે જવાનું વધારે પસંદ કરે છે પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જેઓ ગમે તે ભોગે સત્ય બોલવાનું પસંદ કરતા હોય છે પછી ભલેને ગમે તે થાય. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દાંપત્યજીવનના પહેલા દિવસે જ પત્નીનું જીવન હરામ થઈ જાય તેવી એક ઘટના બની છે. આ આખી ઘટનામાં ભોળકી પત્નીએ સુહાગરાતે તેના પતિને એવું કહ્યું કે જે જીરવવું પતિ માટે ભારે થઈ પડ્યું અને આખરે પતિએ તેને છૂટાછેડા આપીને છોડી મૂકી.
લગ્ન પહેલા મારો રેપ થયો હતો-પત્નીએ પતિને જણાવી દીધું
ગ્વાલિયરની નવવિવાહીતાએ સુહાગરાતે પતિને જણાવ્યું કે લગ્ન પહેલા તેની સાથે બળાત્કાર થયો હતો. પત્નીની આ વાત જીરવવી પતિ માટે અઘરી થઈ પડી અને પહેલી જ રાતે તેમની વચ્ચે કોઈ સંબંધ સ્થપાયો નહોતો. પોતાની પત્નીનો ભૂતકાળમાં રેપ થયો હતો તેવું સ્વીકારવું પતિ માટે ભારે થઈ પડ્યું અને તેણે આખરે પત્નીને હમેંશને માટે છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
કોર્ટે પતિને છૂટાછેડા અપાવી દીધા
પતિએ ફેમિલી કોર્ટમાં લગ્નને રદબાતલ જાહેર કરવા અરજી કરી હતી. આ કેસ ફેમિલી કોર્ટમાં 3 વર્ષ સુધી ચાલ્યો હતો. જે બાદ કોર્ટે આ મામલામાં પતિના છુટાછેડા મંજૂર કર્યાં હતા.
સાચુ બોલવાની સજા મળી નવપરણિતાને
કોઈએ સાચું જ કહ્યું છે કે સત્ય બોલવાની સજા ખૂબ આકરી હોય છે. આ કિસ્સામાં પણ આવું જ થયું. દુલ્હન પતિને બનેલી ઘટના જણાવી દઈને મનનો ભાર હળવો કરી લેવા માગતી હતી પરંતુ પતિએ સહજભાવે આ વાત ન સ્વીકારી અને ઉલટાનું પત્નીને છોડી મૂકી.સભ્ય સમાજ માટે આ એક કલંકરુપ કિસ્સો છે.