છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક તળાવને લોકો પ્રેમની નિશાની માની રહ્યા છે. આ તળાવ ક્યારેય સુકાતુ નથી.
છત્તીસગઢનું આ તળાવ પ્રેમની નિશાની
પત્નીની જીદ માટે થઈને તળાવ ખોદાવ્યું
પત્નીએ લીધી હતી પ્રતિજ્ઞા
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક તળાવને લોકો પ્રેમની નિશાની માની રહ્યા છે. આ તળાવ ક્યારેય સુકાતુ નથી. ગામ લોકો માટે આ તળાવ સાક્ષાત જળ દેવતા સમાન છે. જળ સંરક્ષણની મિસાલ પણ છે. લગભગ 3 સો વર્ષ જૂના 49 એકરમાં ફેલાયેલા આ તળાવનું પાણી જેટલુ સાફ છે, એટલી જ રસપ્રદ તેની કહાની છે. આ એક શાહુકારની કહાની છે, જેની સુંદર પત્નીએ જીદ કરી હતી કે, જ્યાં સુધી પોતાનું તળાવ નહીં ખોદાવે ત્યાં સુધી ન્હાઈશ નહીં. પત્નીની જીદ આગળ શાહુકારે તળાવ ખોદાવ્યું હતું.
200 હેકટર જમીનની તરસ છીપાવે છે
દુર્ગ જિલ્લાના કુમ્હારી પાસે આવેલું છે કંડરકા ગામ. બે હજારની વસ્તીવાળું આ ગામ છે. ગામ પૂર્વ પંચાયત સભ્ય રાજેન્દ્ર સાહૂ જણાવે છે કે, બસો વર્ષ પહેલા અંગ્રેજ જમાનામાં અહીં ગુરમીન પાલ ગડરિયાની શાહુકારી હતી. રૂપિયા પૈસાની કોઈ કમી નહોતી. ગુરમીન અંગ્રેજો માટે વેરો ઉધરાવતા હતા. ગુરમીનનું બનાવેલુ તળા નિસ્તારી ઉપરાંત લગભગ 200 હેક્ટર ખેતરની તરસ છીપાવે છે. આ તળાવના કારણે આજૂબાજૂના ગામનું વોટર લેવલ પણ ડાઉન થતું નથી. પાણીની પાતળી ધારથી તળાવનો રસ્તો મળ્યો અને શાહુકારે ગામલોકો ને રાજસ્થાનના ગડરિયા પાસેથી તળાવ ખોદાવ્યું. બે મહિનાની મહેનત બાદ તળાવ તૈયાર થયું. જેમાં ન્હાઈને શાહુકારની પત્નીએ પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.
શાહુકારની પત્નીને ટોણો માર્યો અને પ્રતિજ્ઞા લીધી
ગામલોકો જણાવે છે કે, ગુરમીનની પત્ની અત્યંત સુંદર હતી. તે સ્નાન કરવા માટે દરરોજ નજીકના ચેટુવા ગામના તળાવમાં જતી હતી. એક દિવસ વાળમાં માટી લગાવીને સ્નાન કરવા ગઈ. એક પથ્થર પર બેસીને તે સ્નાન કરી રહી હતી. ત્યારે ચેટુવા ગામની મહિલાએ તેને ટોણો માર્યો. આટલા મોટા શાહુકારની પત્ની હોવા છતાં ન્હાવા માટે પોતાનું તળાવ નથી. શાહુકારની પત્ની નારાજ થઈ ગઈ. તેણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી પોતાનું તળાવ નહીં ખોદાવે ત્યાં સુધી સ્નાન નહીં કરે. પત્નીના આ પ્રકારના સંકલ્પથી મુશ્કેલીમાં મુકાયેલા ગુરમીને તળાવ માટે જગ્યા શોધવાનું નક્કી કર્યું.
આવી રીતે મળ્યુ પાણી અને ખોદાવ્યું તળાવ
છત્તીસગઢમાં ત્યારે પાણી મળવું રેતીના ઢગલામાંથી સોઈ મળવા બરાબર હતું. ભીષણ ગરમીના દિવસો હતા, ગુરમીન સહિત ગામનો અમુક લોકોએ તળાવ માટે જગ્યા શોધવા લાગ્યા. ત્યારે એક સમાચાર મળ્યા કે, ગામની એક ભેંસ બે દિવસથી ગાયબ છે. તળાવ માટે જગ્યાની સાથે ભેંસની શોધ પણ ચાલુ થઈ. ભેંસ ગામની પૂર્વ દિશામાંથી મળી. કાદવથી લપેટાયેલી હતી. ગામની બહાર એક જગ્યા હતી, જ્યાં લાંબૂ ઘાંસ પણ ઉગેલુ હતું. ગામ લોકો સમજી ગયા કે, પાણી અહીં જ છે. આ જગ્યા પર કોદાળીનો ઘા પડતા જ પાણીની છોળ ઉડવા લાગી. ગામ લોકો તેને પાતાળમાંથી નીકળેલી ધાર કહે છે. આ ધારના કારણે જ આ તળાવ ક્યારેય સુકાતુ નથી.