જમ્મુના પુલવામામાં થયેલા આતંકી ઘટનામાં દેવરિયાના જવાન વિજય કુમાર મૌર્ય શહીદ થઇ ગયા છે. જ્યારે આ સમાચાર એમના ગામમાં પહોંચ્યા ત્યારે માતમ ફેલાઇ ગયો. પતિના મૃત્યુના સમાચારને લઇને પત્ની વિજય લક્ષ્મી ગુસ્સામાં છે.
શહીદીના સમાચાર મળ્યા બાદ દીકરીને ખોળામાં લઇને શહીદની પત્ની વિજય લક્ષ્મી રડતી રહી. એને કહ્યું કે પાકિસ્તાનને આ કાયર હરકત માટે પાઠ ભણાવો પાકિસ્તાનને ઊડાવી નાંખવું જોઇએ. સરકાર કડક પગલા ભરે.
એમના પિતાને એમના પુત્રની શહીદી પર ગર્વ છે પરંતુ આ ઘટનાથી તેઓ ગુસ્સામાં છે. એમનું કહેવું છે કે લોહીના બદલામાં લોહી હોય. પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઇએ. આ પહેલા એમના પતિ પર હુમલો થઇ ચુક્યો છે. કોઇ કંશુ કરતું નથી. પહેલા પણ લોકો શહીદ થયા છે અને આજે પણ જીંદગીભર અમારે સહન કરવાનું છે.
શહીદીની સમાચાર મળ્યા બાદ ગામના લોકો શહીદના ઘરની બહાર જમા થઇ ગયા. લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા.
શહીદના પિતાએ જણાવ્યું કે વિજય 8 ફેબ્રુઆરીએ રજાના કારણે ઘરે આવ્યો હતો અને 9 ફેબ્રુઆરીએ પરત ફર્યો હતો. એમને જણાવ્યું કે વિજય એના ત્રણ ભાઇઓમાં ત્રીજા નંબરનો હતો. મોટો ભાઇ ગુજરાતમાં નોકરી કરે છે. વિજયને એક દોઢ વર્ષની દીકરી છે.