19મી ઓવર મેચમાં ભારત માટે ઘણી મોંઘી સાબિત થઈ રહી છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આજકાલના દિવસોમાં ટ્રોલ્સના નિશાના પર છે. એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની તેની 19મી ઓવર મેચમાં ભારત માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી અને હાલ જ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની પ્રથમ મેચમાં પણ કંઈક આવું થયું હતું. ભુવનેશ્વર કુમાર અને 19મી ઓવર વચ્ચેનો સંબંધ કઇંક એવો બની ગયો છે જે ટીમ ઈન્ડિયા પર ઘણો ભારે પડી રહ્યો છે.અને એટલા માટે જ ભુવનેશ્વર કુમાર ટ્રોલર્સના નિશાને આવ્યા છે. ભુવનેશ્વર કુમારના ટ્રોલ્સને જવાબ આપવાની જવાબદારી પત્ની નુપુર નાગરે ઉઠાવી છે. નૂપુરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ટ્રોલર્સના મોઢા બંધ કરાવવાનું કામ કર્યું છે.
ભુવનેશ્વર કુમારની પત્ની નૂપુરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 'આજકલ લોકો એકદમ નકારા બની ગયા છે, તેમની પાસે કોઈ કામ નથી અને તેઓ એટલા ખાલી છે કે તેમની પાસે નફરત અને ઈર્ષ્યા ફેલાવવા માટે ઘણો સમય છે. તે બધાને મારી સલાહ છે - કોઈને તમારા શબ્દોથી ફરક નથી પડતો કે ન તો તમારા હોવાથી ફરક પડે છે. એટલા માટે આ સમય તમારી જાતને સુધારવામાં વિતાવો, જોકે તેએ વાતનો સ્કોપ ઘણો ઓછો છે.'
ભુવનેશ્વર કુમારે 20 સપ્ટેમ્બરે રમાયેલી ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં 19મી ઓવરમાં 16 રન લૂંટાવ્યા હતા અને તેમાં વાઈડ બોલનો સમાવેશ પણ થતો હતો. ભુવનેશ્વર કુમાર મેચની શરૂઆતની ઓવરોમાં ઘણો કારગાર સાબિત થઈ રહ્યો છે પણ ડેથ ઓવરોમાં તેના પર પ્રેશર જોવા મળે છે અને એ ટીમ ઈન્ડિયા પર ભારે પડે છે. જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારે ભારતના સૌથી અનુભવી બોલરોમાંથી એક છે.