નોર્થ ઈસ્ટ દિલ્હીના ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધુએ સસરાની સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આક્ષેપ છે કે તેના સસરા છેલ્લાં 8 વર્ષથી તેની સાથે બળાત્કાર કરી રહ્યાં છે. એટલું જ નહીં, પ્રથમ વખત બળાત્કાર થયા પછી તેણે સમગ્ર આપવીતિ પોતાના પતિને જણાવી તો તેના પતિએ પત્નીને ધમકાવી.
નોર્થ ઈસ્ટ દિલ્હીની ઘટના
એક પુત્રવધુએ સસરાની સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો
સસરાએ એક વખત પરિવારની સામે પુત્રવધુ પર કર્યો બળાત્કાર
આરોપીએ પરિવારની સામે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો
આરોપી સસરાએ એક વખત પોતાની પત્ની અને બંને પુત્રોની સામે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. પોલીસે મહિલાના નિવેદન પર બળાત્કાર, મારામારી અને ધમકાવવાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે, અત્યારે આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
લગ્નના બે મહિના બાદ પતિએ મારઝૂડ શરૂ કરી
આ મામલે નોંધાયેલી એફઆઈઆર મુજબ, 27 વર્ષીય મહિલા છેલ્લાં દોઢ મહિનાથી ગોકુલપુરી વિસ્તારમાં પોતાના સંબંધી સાથે રહે છે. વર્ષ 2013માં તેના લગ્ન ઉત્તર પ્રદેશમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના બે મહિના સુધી બધુ સારું હતુ. પરંતુ ત્યારબાદ તેના પતિએ પત્નીને મારવાનું શરૂ કરી દીધુ. જેના કારણે એક વખત પુત્રવધુનો ગર્ભપાત કરાવવામાં આવ્યો.
નશીલો પદાર્થ સુંઘાડી પુત્રવધુને કરી બેહોશ અને પછી...
આરોપ છે કે તેના એક મહિના બાદ સસરાએ પુત્રવધુને નશીલો પદાર્થ સુંઘાડીને તેને બેહોશ કરી અને તેની પર બળાત્કાર કર્યો. મહિલાના એડવોકેટ વિજય ગોસ્વામીનું કહેવુ છે કે આરોપીએ પોતાના પરિવારજનોની સામે બળાત્કારને અંજામ આપ્યો.
પીડિત મહિલાએ કેસ નોંધાવ્યો
દિલ્હીના ગોકુલપુરી વિસ્તારની આ ઘટના છે. ત્યારબાદ તેનો પતિ બંને બાળકોની સાથે ગામમાં લઇ ગયો અને પત્નીને ગામમાં છોડી દીધી. મહિલાએ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 22 ઓક્ટોબરે સંબંધિત મામલે કેસ નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.