અમદાવાદમાં પરસ્ત્રી સાથે પતિના સંબંધનો ફૂટ્યો ભાંડો. પત્નીને લાગી આવતા કર્યો આપઘાત
ચાંદલોડિયામાં પરિણીતાનો આપઘાત
પરસ્ત્રી સાથે પતિના હતા સંબંધ
પરસ્ત્રીને ઘરે લઇને આવતા પરિણીતાએ ટૂંકાવ્યુ જીવન
અમદાવાદના ચાંદલોડિયામાં પરસ્ત્રીના લીધે ઘરસંસાર ભાંગી ગયો.પતિ અન્ય સ્ત્રીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે ઘરે લઇને આવતા પરિણીતાએ મોતને વ્હાલુ કરી દીધુ. આ મામલે તપાસ કરતા પોલીસે આરોપી પતિ મહાદેવની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને પૂછપરછ કરતા પતિ ડરી ગયો હતો અને પરિણીતાનું મોત કુદરતી થયુ હોવાનુ જણાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે કડક પૂછપરછ કરતા પતિની પોલ પકડાઇ ગઇ હતી.
પરિણીતાને હતી નિઃસંતાન
પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે પરિણીતાને કોઇ સંતાન ન હતુ. લગ્નબાદ તેઓને સંતાન ન થતા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો. તો આ તરફ પતિએ પણ પત્ની સામે મોં ફેરવી લીધુ હતું અને અન્ય સ્ત્રીના મોહમાં પત્નીને જીવતે જીવ તરછોડી દીધી હતી. પતિની આવી કાળીકરતૂત અંગે પત્નીને જાણ હતી કે કેમ તે ખબર નથી પરંતુ જ્યારે તે અન્ય સ્ત્રીને લઇને ઘરે આવ્યો ત્યારે પરિણીતા ભાંગી પડી. આખરે તેણે જીવતે જીવ ઓશિયાળા બનીને રહેવા કરતા મોતને વ્હાલુ કરી દીધુ.
આરોપી પતિ પોલીસ સકંજામાં
પત્નીથી સંતાનપ્રાપ્તિ ન થતા આરોપી પતિએ છેલ્લા અઢી વર્ષથી અન્ય સ્ત્રી સાથે સંબંધો બાંધ્યા હતા. અઢી વર્ષ સુધી રંગરેલિયા મનાવ્યા બાદ આખરે તે પરસ્ત્રીને પોતાના ઘરે રહેવા માટે લઇને આવી ગયો હતો. જે પત્નીથી સહન ન થતા અંતે આપઘાત કરી લીધો. સમગ્ર મામલે પોલીસે આરોપી મહાદેવ સામે દુષ્પ્રેરણા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.