વિરાટ કોહલીની ટી-20 કેપ્ટનશીપ છોડવા પર અનુષ્કા શર્માએ આપ્યુ રિએક્શન
અનુષ્કા શર્માએ કરી પોસ્ટ
પતિ વિરાટને આ રીતે કર્યું સપોર્ટ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટોરી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે સૌને ચોંકાવી દીધા હતા જ્યારે તેમણે એલાન કર્યું કે તે ટી-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દેશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે આ જાણકારી શેર કરી હતી. વિરાટના આ નિર્ણય બાદ તેમના ફેન્સ નિરાશ છે. વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ હવે તેના પર રિએક્શન આપ્યું છે.
ઈન્સ્ટા સ્ટોરી પર કર્યુ પોસ્ટ
અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર વિરાટનો લેટર શેર કર્યો છે. તેની સાથે જ તેણે રેડ હાર્ટ ઈમોજી મુકીને તેના નિર્ણયને સપોર્ટ કર્યો છે. વિરાટે પોતાના આ લેટરમાં લખ્યું છે કે તેના વર્ક લોડને જોતા તેણે પોતાને થોડી સ્પેસ આપવી જોઈએ. જેથી તે વન ડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ માટે વધુ તૈયારી કરી શકે.
વિરાટે પોસ્ટ શેર કરતા લખ્યું છે, હું ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું કે મને ફક્ત ઈંડિયા જ નહીં પરંતુ ઈન્ડિયન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. હું એ દરેકને ધન્યવાદ કહેવા માંગું છું જેમણે ભારતીય કેપ્ટનશીપ વખતે મારો સપોર્ટ કર્યો છે. હું આ તેમના વગર ન કરી શકું. મારા સાથી ખેલાડી, સપોર્ટ સ્ટાફ, સેલેક્શન કમીટી, મારા કોચ અને દરેક એ ભારતીઓ જેમણે અમને જીત અપાવવા માટે પ્રાર્થના કરી. એ સમજતા કે વર્કલોડ એક મહત્વપૂર્ણ વસ્તુ છે અને મારે પાછલા 8થી 9 વર્ષથી ત્રણ ફોર્મેટ રમવા અને સાથે સાથે 5-6 વર્ષથી કેપ્ટનશીપ કરવાનો વર્કલોડ જોતા મને લાગે છે કે મારે પોતાને એક સ્પેસ આપવી જોઈએ. જેથી હું ઈન્ડિયન ક્રિકેટ ટીમની વન ડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ માટે સારી રીતે તૈયાર થઈ શકું.