લદ્દાખ બોર્ડર પર કર્નલ સંતોષ બાબુની શહાદત બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. દરેક ભારતીય ચીનને પાઠ ભણાવવા માંગતો હતો. 15 જૂને લદ્દાખની ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણમાં ભારતીય સેનાએ તેના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકોને ગુમાવ્યા હતા. હવે પીએમ મોદી અચાનક સૈનિકોને પ્રોત્સાહિત કરવા સેનાની સાથે જઈને ઉભા રહ્યા છે.
આપણે કોઈ પણ સંજોગોમાં જીતીને આવવાનું છે.
આપણે હિમ્મત ન હારવી જોઈએ
શહીદ કર્નલ સંતોષ બાબુની પત્નીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી
આપણે કોઈ પણ સ્થિતીમાં જીતીને આવવાનું છે
વડા પ્રધાનની આ મુલાકાત પછી ભારતીય સૈનિકોનું મનોબળ વધશે એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીન સુધી એક મજબૂત સંદેશ પહોંચશે. પીએમની આ મુલાકાત અંગે શહીદ કર્નલ સંતોષ બાબુની પત્નીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમના પતિનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. મોદીજીના પ્રસ્થાનથી સેનાને મજબૂત મનોબળ મળશે. ભારતીય સૈનિકો વીર બહાદુર છે. આપણે હિમ્મત ન હારવી જોઈએ. હું મોદીજીને કહેવા માંગુ છું કે આપણે કોઈ પણ સંજોગોમાં જીતીને આવવાનું છે.
કર્નલ વીરતાની મિસાલ હતા
15 જૂને શ્યોક અને ગલવાન નદીના સંગમ નજીક 3 ઈન્ફ્રેટ્રી ડિવીજન કમાન્ડર અને અન્ય અધિકારીઓ હાજર હતા. બંને દેશોમાં વાટાઘાટો ચાલી રહી હતી. 16 બિહાર રેજિમેન્ટને ખાતરી કરવા કહ્યું હતું કે કરાર હેઠળ ચીની સૈનિકો તેમની પોસ્ટથી દૂર ગયા કે નહીં. આ માટે ભારતીય સૈનિકોએ ચીનની ઓબ્ઝર્વેશન પોસ્ટ પર જઈને તંબુ હટાવવાનું કહ્યું હતુ. ત્યા એક ડઝન ચીની સૈનિકો હાજર હતા. આ ચીની સૈનિકોએ આ તંબુ હટાવવાની ના પાડી.
બિહાર રેજિમેન્ટનો ટુકડી પાછી ફરી. આ પછી કર્નલ સંતોષ બાબુના નેતૃત્વ હેઠળ 50 સૈનિકોની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ પદ હટાવવાની જરૂરિયાત અંગે ફરી વાત કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં લગભગ 350 ચીની સૈનિકો સશસ્ત્ર થઈ હુમલા માટે તૈયાર હતા. બિહાર રેજિમેન્ટના સૈનિકો આવતાની સાથે જ પર્વત પરથી પથ્થરનો હુમલો કરવામાં આવ્યો હતો અને સામેથી ચીની સૈનિકોએ કાંટાળા તાર, રોઓડ અને સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં ભારતીય કર્નલ સહીત 20 સૈનિકો શહિદ થયા હતા.