સૂર્યગ્રહણને લઈને ધર્મગ્રંથો અને પુરાણોમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં એવું કહેવાય છે કે, ચંદ્રગ્રહણ કરતાં વધુ અસર સૂર્યગ્રહણની થાય છે. આ જ કારણથી સૂર્યગ્રહણ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રાધાએ સૂર્યગ્રહણ સમયે કુરૂક્ષેત્રમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાભારત દરમિયાન થયેલાં ખાસ ગ્રહણ પર દેવી રાધા, દેવી યશોદા અને નંદ બાબા કુરૂક્ષેત્ર આવ્યા હતા. આ ઘટના એ બાબતની પુષ્ટિ કરે છે કે ગ્રહણ પછી પવિત્ર નદી, તળાવ અથવા સરોવરમાં સ્નાન કરવું જોઈએ. જો તમે આ રીતે સ્નાન ન કરી શકો છો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો.
ગ્રહણ પછી સ્નાન કરવું ખૂબ જ જરૂરી
ગ્રહણ પછી શરીર થઈ જાય છે અપવિત્ર
સ્વાસ્થ્ય પર પણ ગ્રહણની વિપરિત અસર થાય છે
આ કારણથી ગ્રહણ બાદ સ્નાન કરવું છે જરૂરી
શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ પછી સ્નાન કરવું જરૂરી જણાવ્યું છે. યોગ વસિષ્ઠમાં લખ્યું છે, પુત્રજન્મનિ યજ્ઞે ચ તથા સક્રમણે રવેઃ| રહોશ્ચ દર્શને કાર્ય પ્રશસ્તં નાન્યથા નિશિ| એટલે કે સંતાનના જન્મ પર, યજ્ઞ, સૂર્ય અને ચંદ્ર સંક્રાતિ જો રાતના સમયે પણ હોય તો સ્નાન કરીને શુદ્ધ થવું જરૂરી છે, કારણ કે આ તમામ ઘટનાઓ પછી શરીર અપવિત્ર થઈ જાય છે અને તેને ફરી દેવ પિતૃ કાર્ય માટે શુદ્ધ કરવું જરૂરી હોય છે.
ગ્રહણ બાદ સ્નાન કરવાના ફાયદા
ધાર્મિક માન્યતાઓ અનુસાર બે અશુભ ગ્રહો રાહુ અને કેતુને કારણે ગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણ દરમિયાન કેતુ સૂર્યને ગ્રસિત કરે છે. તેના પર નકારાત્મક ઊર્જાનો પ્રબાવ વધી જાય છે. ગ્રહોના રાજાથી ગ્રસિત થઈ જવાથી અસુરી શક્તિઓ જાગૃત થઈ જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સુક્ષ્મજીવાણુઓની અસર વધી જાય છે. સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આ જ કારણથી સૂર્ય ગ્રહણ પછી સારાં સ્વાસ્થ્ય માટે સ્નાન કરવું જરૂરી છે.
ગ્રહણ પહેલાં સ્નાન કરવાની માન્યતા
ગ્રહણ પછી સ્નાન કરવું જરૂરી માનવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રહણ પહેલાં પણ સ્નાન કરવું જરૂરી છે, કારણ કે આ સાધનાનો સમય છે. ગ્રહણ દરમિયાન સૂર્ય દેવના મંત્રોનું જાપ, ગુરૂ મંત્રનું જાપ, નારાયણ કવચનું જાપ અને અન્ય ગ્રહોના મંત્રોનું જાપ કરવું શુભ અને પ્રભાવશાળી હોય છે.