બેન્ડ ડૂબવાની સ્થિતિમાં નિયમ પ્રમાણે સરકાર તમને પાંચ લાખ રૂપિયા આપે છે.
બેન્કમાં કેટલા રૂપિયા સુધી રાખવું જોઈએ બેલેન્સ
જાણી લો શું છે નિયમો
આવી સ્થિતિમાં તમારા પર થઈ શકે છે કાર્યવાહી
લોકોમાં બેન્ક અને પૈસાને લઈને ઘણી ગેરસમજ છે. અમુક લોકો તો એમ પણ કહે છે કે બેન્કમાં 5 લાખથી વધારે રકમ જમા ન કરવી જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે આવો કોઈ નિયમ નથી. તમે જેટલું મરજી પોતાના બેન્ક એકાઉન્ટમાં પૈસા રાખી શકો છો. બેન્ડ ડૂબવાની સ્થિતિમાં નિયમ કહે છે કે સરકાર તમને પાંચ લાખ રૂપિયા આપે છે. એટલે કે બેન્કમાં પાંચ લાખ રૂપિયા સુધીની સુરક્ષા ગેરેન્ટી રહે છે. જો તમારા બેન્ક એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જમા છે અને સંબંધિત બેન્કનું દેવાળીયું ફુકાઈ ગયું છે તો તમને 5 લાખ રૂપિયા સુધી રકમ મળશે.
શું 5 લાખથી વધારે રકમ બેન્કમાં ન રાખવી જોઈએ?
જોકે બેન્કમાં વધારે પૈસા રાખવાના અમુક નુકસાન પણ છે. પહેલું એ કે એકાઉન્ટમાં વધારે પૈસા હોવાના કારણે તમે ઈનકમ ટેક્સની નજરમાં આવી શકો છો. પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી. તમારા પૈસા પર ઈનકમ ટેક્સની નોટિસ ત્યારે જ આવશે જ્યારે તે પૈસાના સોર્સની ખબર ન હોય. માટે તમારે બેન્કમાં જમા પોતાના પૈસાની સંપૂર્ણ ડિટેલ રાખવાની રહેશે કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. તમારા એકાઉન્ટમાં કઈ રીતે પૈસા જમા થયા તે.
આવી સ્થિતિમાં તમારા પર થઈ શકે છે કાર્યવાહી
જો તમારે બેન્ક એકાઉન્ટમાં વધારે પૈસા છે અને તમે ઈનકમ ટેક્સના સામે તે પૈસાનો સોર્સ સાબિત ન કરી શક્યા તો મુશ્કેલીઓ થઈ શકે છે. તમારૂ બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવી શકે છે. તમારા પર કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
વધારે પૈસા હોય તો આ રીતે કરી શકો છો રોકાણ
સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાનું એક નુકસાન એ પણ છે કે જમા રકમ પર વ્યાજ ઓછું મળે છે. એવામાં બેન્કમાં વધારે પૈસા જમા કરવાનો કોઈ ફાયદો નથી. જાણકારોનું કહેવું છે કે સારૂ રહેશે કે તમે તે પૈસાને ફિક્સ ડિપોઝિટ કરી દો અથવા મ્યુચુઅલ ફંડમાં નાખી દો. તેના પર વધારે વ્યાજ મળશે. એટલે કે તમને વધારે ફાયદો થશે. માટે બેન્કમાં વધારે પૈસા રાખ્યા પહેલા એક વખત સારી રીતે વિચારી લો કે નુકસાન તો નથી થઈ રહ્યુંને.