ભારત સહિત અનેક દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું. એવું કહેવાય છે કે, સૂર્યગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઇએ. ગ્રહણના 12 કલાક અગાઉ જ સૂર્યગ્રહણ શરૂ થઇ જાય છે. સૂર્યગ્રહણને લઈને ધર્મગ્રંથો અને પુરાણોમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં એવું કહેવાય છે કે, ચંદ્રગ્રહણ કરતાં વધુ અસર સૂર્યગ્રહણની થાય છે. આ જ કારણથી સૂર્યગ્રહણ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે, સૂર્યગ્રહણના દિવસે પાણી, અન્ન કે ભોજન ખાવું જોઈએ નહીં, કારણ કે સૂર્ય પ્રકાશ ન હોવાથી તેમાં બેક્ટેરિયા વધે છે અને એવો ખોરાક કે પાણી લેવાથી તમે માંદા પડી શકો છો.
આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ
ગ્રહણથી સ્વાસ્થય પર થાય છે ખરાબ અસર
આટલી બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી
ધાર્મિક માન્યતાઓ અનુસાર બે અશુભ ગ્રહો રાહુ અને કેતુને કારણે ગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણ દરમિયાન કેતુ સૂર્યને ગ્રસિત કરે છે. તેના પર નકારાત્મક ઊર્જા અને જીવાણુઓ સક્રિય થઈ જાય છે. જેથી શાસ્ત્રો ગ્રહણના દિવસો દરમિયાન ઉપવાસ રાખવો જોઈએ. જેથી તમારું શરીર ખરાબ અસરથી બચી શકે. ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પછી માત્ર તાંબાના પાત્રમાં ભરેલું પાણી પીવું જોઈએ. જેથી ગ્રહણને કારણે પાણીમાં પેદા થયેલાં બેક્ટેરિયા તાંબાના પાત્રમાં પાણી ભરવાથી નષ્ટ થઈ જાય અને તેની ખરાબ અસર તમારા શરીરને ન થાય.