દેશનો ખેડૂત પોતાના ખેતરમાં પાક ઉભો કરવા માટે અલગ અલગ બિયારણની અને તે પાકની જાળવણી માટે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરતો હોય છે..પરંતુ કેટલીક વખત તે દવાનો અને બિયારણ ઘાતક સાબિત થાય છે..આવી જ એક અમેરિકન કંપની છે જે ભારતમાં અડિગો જમાવીને બેઠી છે અને ખેડૂતોના જીવ સાથે રમત રમી રહી છે..જેનું નામ છે એગ્રીકલ્ચર જાયન્ટ મોન્સેંટો કંપની...આ કંપની બિયારણોની સાથે દવાઓ પણ બનાવે છે..એટલું જ નહી પણ ગુજરાતનો ખેડૂત તેને ખરીદે પણ છે અને તેનો ઉપયોગ પણ કરે છે.. મોન્સેંટો કંપની દ્વારા બનાવાતી દવામાં ઝેરની માત્રાને લઈને અનેક વખત સવાલ ઉઠતા રહ્યા છે..બીટી કપાસ અને બીટી રિંગણના બિયારણ પણ આ જ કંપની બતાવતી હતી..અને તે બિયારણને લઈને પણ વિવાદો ઉભા થયા જ છે..જો કે આ બિયારણ અને દવા આટલી ઘાતર હોવા છતાં પણ દેશની સરકાર ન તો આવી કંપનીઓને પ્રતિબંધિત કરતી કે નથી તેના પણ એક્શન લેતી. એક્શન જો કોઈ એ લીધા હોય તો તે છે અમેરિકાની કેલિફોર્નિયા કોર્ટ. કોર્ટે આ કંપનીને રૂપિયા 145 અબજનો દંડ ફટકાર્યો છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું આપણા દેશની સરકારને ખેડૂતની ચિંતા નથી? શા માટે આવી ઘાતક પ્રોડક્ટ વેચતી કંપનીઓએ પરમીટ અપાય છે? શા કારણે તેમની પ્રોડક્ટના રિપોર્ટની સમયાંતરે ચકાસણી નથી થતી? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન