વટ સાવિત્રીનાં વ્રતમાં વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે, જેની પાછળ ધાર્મિક મહત્વ છુપાયેલ જાણો. જાણો વિગતવાર
30 મેનાં રોજ રાખવામાં આવશે વટ સાવિત્રીનું વ્રત
આ દિવસે કરવામાં આવે છે વટવૃક્ષની પૂજા
પતિનાં લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે વટ સાવિત્રી વ્રત
30 મેનાં રોજ રાખવામાં આવશે વટ સાવિત્રીનું વ્રત
પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે મહિલાઓ 30 મેનાં રોજ વટ સાવિત્રીનું વ્રત રાખશે. આ દિવસે મહિલાઓ વટવૃક્ષની નીચે પૂજન કરીને પોતાના પતિનાં જીવનની રક્ષા અને પરિવારનાં બધા સદસ્યોનાં સુખ સમૃદ્ધિ અને યશ વૈભવની કામના કરશે, જે પ્રકારે સાવિત્રીએ વ્રત રાખીને પોતાના મૃત પતિ સત્યવાનને જીવિત જ ન કરાવ્યો, પણ પોતાના સાસુ સસરાની ગુમાવેલ યશ કીર્તિ અને રાજ્ય પણ પાછા અપાવ્યા.
શા માટે કરવામાં આવે છે વટવૃક્ષની પૂજા?
વટએ વિશાળતાનું પ્રતિક છે, જે સંયુક્ત પરિવારને પ્રદર્શિત કરે છે. આ વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ થાય છે. એટલા માટે જ આ વૃક્ષને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે સૌથી વિશાળ અને છાયાદાર વૃક્ષોમાં વટવૃક્ષ સામેલ છે. જ્યેષ્ઠ મહિનાના તડકામાં મહિલાઓ ક્યા પ્રકારે પૂજન કરી શકે, એટલા માટે જ આ વૃક્ષને પસંદ કરવામાં આવ્યું છે. સાવિત્રીનાં પતિ સત્યવાને જે વૃક્ષ નીચે પોતાના જીવનો ત્યાગ કર્યો હતો, તે પણ વટવૃક્ષ જ હતું, છાયાદાર વૃક્ષ અને જ્યારે સૂર્ય પોતાના તેજ પર હોય છે, ત્યારે આ વૃક્ષની છાયા નીચે પૂજન કરવામાં આવે છે. હવે વર્તમાનમાં જો કોઈ મહિલાના ઘરની આસપાસ આ વૃક્ષ નથી, તો વટની ડાળીનર ઘરના આંગણામાં માટીનાં ઢગલા વચ્ચે લગાવીને આકર્ષક ચોક પૂરીને પૂજા કરવામાં આવે છે.
આ પ્રકારે કરવું જોઈએ વટ સાવિત્રી વ્રતમાં પૂજન
જ્યેષ્ઠ મહિનાની અમાસનાં દિવસે વટ વૃક્ષનાં મૂળમાં જળ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ ચણા, ગોળ, ઘી વગેરે અર્પણ કરીને સાથે જ ઘીનો દીવડો પણ પ્રજવલ્લિત કરવામાં આવે છે. પૂરી શ્રદ્ધા સાથે કાચા દોરાથી વૃક્ષનાં પત્તાથી બનેલ માળા પહેરીને સાવિત્રી સત્યવાનની કથા સાંભળવી કે વાંચવી જોઈએ. ત્યાર બાદ વટ વૃક્ષની 108 અથવા યથાશક્તિ પરિક્રમા કરવી જોઈએ અને પરિક્રમા કરતા કરતા પોતાના પતિ અને પરિવારનાં સ્વાસ્થ્ય, ધન વૈભવ અને સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ. વટ વૃક્ષના મૂળને હળદરથી રગેલા દોરાથી લપેટતા અને સાથે માતા સાવિત્રીનું ધ્યાન કરતા અર્ધ્ય આપવું જોઈએ. પૂજન બાદ ઘરે આવીને પોતાના સાસુ, પતિ તથા અન્ય લોકોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. વટ સાવિત્રીનું વ્રત દાંપત્ય જીવનને સુખી બનાવવા તથા અલ્પાયુ યોગને દીર્ઘ આયુમાં બદલવા માટે રાખવામાં આવે છે.