ઘણા લોકોને ગરમીની સિઝન બિલ્કુલ ગમતી નથી. કારણકે વધતુ તાપમાન, ભીષણ ગરમી અને પરસેવામાં રેબઝેબ થવાથી ગમતુ નથી.
ગરમીમાં કેરીનુ સેવન કરવામાં રાખો સાવધાની
નહીંતર ફાયદાની જગ્યાએ થશે નુકસાન
જાણો, પલાળેલી કેરી તમારા માટે કેટલી ગુણકારી
કેરીને પલાળીને ખાવાથી થતા ફાયદા
તો ઘણા લોકો એવા શોખીન પણ છે, જે આ સિઝનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જેનુ કારણ એ છે કે ગરમીમાં કેરી ખાવાની બધાને મજા આવે છે. પરંતુ તેના સેવનમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થઇ શકે છે. આરોગ્યના નિષ્ણાંતનુ માનવુ છે કે કેરી ખાતા પહેલા કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી દેવી જોઈએ. આવો જાણીએ કે પલાળેલી કેરી તમારા માટે કેટલી ગુણકારી છે.
સ્કિન સમસ્યામાં બચાવ
આ વાતથી સૌ કોઈ વાંકેફ છે કે કેરી ખાવાથી ચેહરા પર પિંપલ્સ, ખીલ અને ફોલ્લી થાય છે. જો કેરીને પલાળીને ખાશો તો તમને વધુ મુશ્કેલી પડશે નહીં.
શરીરની ઠંડક યથાવત રહેશે
કેરી ખાવાથી શરીરમાં ગરમી વધી જાય છે, જેનાથી થર્મોજેનેસિસનુ પ્રોડક્શન વધવા લાગે છે. કેરીને પલાળીને ખાશો તો આવી સમસ્યાઓથી વધારે પરેશાન થવાની જરૂર પડશે નહીં.
કેમિકલ્સથી બચાવ
જ્યારે કેરી ઉગાડવામાં આવે છે ત્યારે તેને જંતુઓથી બચાવવા માટે પેસ્ટિસાઇડ્સ અને ઈન્સેક્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ આરોગ્ય માટે ખતરનાક છે. કારણકે જેના કારણે આંખ અને સ્કિનમાં ઈરિટેશન થાય છે. આ સાથે માથાનો દુ:ખાવો અને ઉલ્ટીની ફરિયાદ પણ થઇ શકે છે. કેરીને પલાળવાથી ખતરનાક કેમિકલ નિકળી જાય છે અને આ ફળ ખાવાલાયક બની જાય છે.
શરીરના ફેટમાં થશે કમી
કેરીને મજબૂત ફાયટોકેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ તમે તેને અડધા કલાક સુધી પલાળીને રાખશો તો વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે. કારણકે કેરીને નેચરલ ફેટ બસ્ટર માનવામાં આવે છે.