હિંદુઓના પાવન પર્વ નવરાત્રિનો તહેવાર દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ રીતે ઉજવાય છે. ખાણી પીણીની વાત કરીએ તો આ દરમિયાન માંસ-મચ્છી, ધૂમ્રપાન અને દારૂ લેવાની મનાઇ હોય છે. નવરાત્રિના નવ દિવસ કેટલાક લોકો લસણ-ડુંગળી ખાતા નથી.
નવરાત્રિમાં કેમ ખવાય છે સાત્વિક ભોજન
ધર્મ પાછળ છે મોટુ વૈજ્ઞાનિક કારણ
નવ દિવસ નથી ખવાતા ડુંગળી લસણ
શા માટે આ નવ દિવસો લસણ-ડુંગળી ખાવાની મનાઇ હોય છે. આયુર્વેદ અનુસાર ખાદ્યપદાર્થોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. રાજસિક, તામસિક અને સાત્વિક. તે શરીરની પ્રતિક્રિયાઓને ટ્રિગર કરે છે.
• સાત્વિક આહારમાં હાઇ ફાઇબર, લો ફેટ હોય છે. તાજાં ફળ, સિઝનલ શાકભાજી, દહીં, મધ, અંકુરિત અનાજ, ફણગાયેલાં કઠોળ, બી, મરી, કેટલાક મસાલા, ધાણા અને સુકામેવા સામેલ છે. આયુર્વેદમાં સાત્વિક ભોજનને સંતુલિત માનવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસથી શરીરની સફાઇ પણ થઇ જાય છે.
• આયુર્વેદમાં રાજસિક અને તામસિક ભોજન કરવાની મનાઇ છે. કેમકે તે બીમારીઓનું કારણ બને છે અને વ્યક્તિનું મન - શરીર પણ બગાડી શકે છે. રાજસિક અને તામસિક ભોજનમાં લસણ, ડુંગળી, માંસ- મચ્છી, ફ્રાઇડ રાઇઝ, મસાલેદાર વસ્તુઓ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ઇંડાં, મશરૂમ, ખાંડ સામેલ હોય છે તે બીમારીઓનું કારણ બને છે.
• નવરાત્રિના નવ દિવસ એક સાત્વિક ભોજન એટલે કે ફળ, શાકભાજી, સાબુદાણા, સિંધાલુણ, સામો, મોરૈયો અને ડેરી ઉત્પાદનો જ ખાવાં જોઇએ. લસણ રાજસિક અને તામસિક ભોજનનો ભાગ છે, તેથી તે ખાવાની મનાઇ છે.
• નવરાત્રિ જે સમયગાળામાં આવે છે ત્યારે ડબલ સિઝન હોય છે. મોસમી બદલાવના કારણે ઇમ્યુનિટી નબળી હોય છે. આ કારણે સાત્વિક આહાર લેવાની સલાહ અપાય છે. સાત્વિક ભોજનથી શરીર ઊર્જામય રહે છે અને અશુદ્ધિઓ દૂર થાય છે.
શું કહે છે વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકોની વાત માનીએ તો સિઝનમાં આવતાં પરિવર્તનોનાં કારણે ઇમ્યુનિટી નબળી પડે છે. આવા સમયે ઓઇલી અને ભારે ભોજન તેમજ જંક ફૂડથી દૂર રહેવુ જોઇએ. ડુંગળી, લસણ શરીરમાં ઊર્જાનો સંચાર કરવાની સાથે સાથે શરીરમાં ગરમી પેદા કરે છે અને મગજને સુસ્ત બનાવે છે. તેથી નવરાત્રિ આ ધાર્મિક તહેવારો દરમિયાન આવું ભોજન ન ખાવાની સલાહ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે છે.