ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટી20 મૅચ ઇન્ટરનેશનલ ટીમમાં થયેલી જોરદાર ટક્કર બાદ ભારત જીતી ગયુ હતુ પરંતુ કોહલી છેલ્લી ચાર ઓવરમાં મૅચમાંથી બહાર હતો.
ચોથી મૅચમાં વિરાટ મેદાનમાંથી બહાર
4 ઓવર માટે રોહિત શર્મા હતો કેપ્ટન
વિરાટ કોહલીએ જ કર્યો ખુલાસો
ટી-20માં જીત્યા બાદ હવે 2-2ની બરાબરીથી ભારત અને ઇંગ્લેન્ડ આમને સામને છે. કેપ્ટનની ગેરહાજરીએ સૌનુ ધ્યાન ખેંચ્યુ હતું.
મેદાનની બહાર કોહલી
ઇંગ્લેન્ડની ઇનિંગની 16મી ઓવર ચાલી રહી હતી તે બાદ કોહલી મેદાનથી બહાર જતો રહ્યો હતો. જે બાદ રોહીત શર્મા 4 ઓવર ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન બન્યા હતા. ભારતીય ક્રિકેટ ફેન્સ તે વાતથી હેરાન હતા કે આવુ કેમ બન્યું, કોહલી કેમ મેદાનમાંથી બહાર છે?
કોહલીએ જણાવ્યું કારણ
વિરાટે જણાવ્યું કે, હું એક બોલ પાછળ ભાગ્યો અને મે ડાઇવ લગાવી હતી પરંતુ તે સમયે હું બેસ્ટ પોઝીશનમાં નહોતો. હું આઉટ ફીલ્ડથી બહાર જતો રહ્યો હતો. હું ઇનર રિંગની અંદર ફિલ્ડીંગ કરી રહ્યો હતો અને તાપમાન જો ઘટી રહ્યુ હોય તો તમારી બોડી સખત થવા લાગે છે.
ચિંતાની વાત નથી
કોહલીએ આગળ જણાવ્યું કે, આ કારણના લીધે હું મેદાનમાંથી બહાર હતો. હું આ નાનકડી વસ્તુને ઇજામાં પરિણમવા દેવા માંગતો નથી. કંઇ સિરીયર નથી. કાલના દિવસમાં હું આરામ કરીશ એટલે સારુ થઇ જશે.