PGVCLમાં 10 સિનિયર ઇજનેરોને સાઇડ લાઇન કરી મંત્રીના ભાણેજને બઢતી આપવાના મામલાને લઈ ઉર્જા વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે.
કૃષિમંત્રીના ભાણેજને સીધી બઢતી અપ્યાનો આક્ષેપ
PGVCLના મેનેજીંગ ડીરેક્ટરે ઈન્ટરર્વ્યૂ કેમ રદ કર્યા ?
મામલો PMO ઓફિસ અને ઉર્જામંત્રી સુધી પહોંચ્યો
રાજકોટમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના ભાણેજને બઢતી આપવા મામલે ઉર્જા વિભાગ હરકતમાં આવ્યું છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે રાજકોટ PGVCLના MD પાસેથી અહેવાલ માંગ્યો છે PGVCLમાં લાગતા વળગતાને બઢતી આપવાને લઈને સમગ્ર મામલો PMO ઓફિસ અને ઉર્જામંત્રી સુધી પહોંચ્યો હતો જેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
કૃષિમંત્રીના ભાણેજને સીધી બઢતી
રાજકોટ PGVCLમાં 10 સિનિયર ઇજનેરોને સાઇડ લાઇન કરી મંત્રીના ભાણેજને બઢતી આપવાના મામલાને લઈ ઉર્જા વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે રાજકોટ PGVCLમાં કૃષિમંત્રી આર.સી ફળદુંના ભાણેજને સાચવવા માટે 10 જેટલા સિનિયર ઈજનેરોના ઈન્ટરર્વ્યૂ રદ દેવામાં આવ્યા હતા અને PGVCL ના મેનેજીંગ ડીરેક્ટર દ્વારા કૃષિમંત્રીના ભાણેજને સીધી બઢતી આપી દેવામાં આવી હતી.
PGVCLના મેનેજીંગ ડીરેક્ટરે ઈન્ટરર્વ્યૂ રદ કર્યા
રાજકોટ PGVCL માં 28 એપ્રિલના રોજ ઈન્ટર્વ્યૂ રાખવામાં આવ્યા હતા જેમાં મંત્રીના ભાણેજ સહિત સિનિયર ઈજનેરોને ઈન્ટરવ્યૂની જાણ કરાઈ હતી જે બાદ મેનેજીંગ ડીરેક્ટરે મૌખીક જાણ કરી ઈન્ટરર્વ્યૂ રદ કર્યા હતા પરતું જે બાદમાં ફરી 15 મેના રોજ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા જેમાં અગાઉથી નક્કી હોય તે પ્રમાણે મંત્રીના ભાણેજને બઢતી આપી દેવામાં આવતા વિવાદ સર્જાયતા મામલો PMO ઓફિસ અને ઉર્જામંત્રી સુધી પહોંચ્યો હતો. જેને લઈ હવે ઉર્જામંત્રી સૌરભ પટેલે સમગ્ર મામલે અહેવાલ માંગ્યો છે.
મામલો PMO ઓફિસ અને ઉર્જામંત્રી સુધી પહોંચ્યો
ઈજનેરોને અપાયેલા ઓર્ડર રદ કરી PGVCL એ કૌભાંડ આચર્યું છે જેથી અન્ય ઈજનેરોને અન્યાય થયો છે આથી સમગ્ર મામલે ન્યાયીક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ઈજનેરો દ્વારા વડાપ્રધાન કાર્યાલય અને ઉર્જામંત્રાલયને લેખિતમાં જાણ કરી હતી સાથે ઈજનેરોએ હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ઈજનેરો કહ્યું હતું તે પ્રમાણે PGVCL એ જાહેર કરેલા લીસ્ટ પ્રમાણે આર.સી.પટેલને હજુ બે વર્ષ સુધી પ્રમોશન મળે તેમ નથી આમ છતા મેનેજીંગ ડીરેક્ટરે નિયમોને નેવે મુકીને મંત્રીના કૌટુંબિક ભાણેજને જૂનાગઢના અધિક્ષક બનાવી દીધી. હાલ તો સમગ્ર મામલે ઉર્જાવિભાગ હરકતમાં આવ્યું છે. અને તપાસના આદેશ આપ્યા છે.