દેશ માટે પોતાનો જીવ હસતા હસતા આપી દેનારા શહીદ-એ-આઝમ ભગત સિંહને લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ફાંસી આપી દેવામાં આવી હતી પરંતુ તેમને ફાંસી આપવાની તારીખ 24 માર્ચ હતી તો શા કારણે એક દિવસ વહેલા ફાંસી આપી દેવામાં આવી હતી?
ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઇ હતી
નિર્ધારિત સમય કરતા પહેલા આપવામાં આવી હતી ફાંસી
લાહોર સેન્ટ્રલ જેલમાં હસતા હસતા ફાંસીએ ચડ્યા હતા 3 જવાન
24 તારીખમાં અંગ્રેજોએ ફેરફાર કરીને નિર્ધારીત તારીખ અને સમય પહેલા જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દેવામાં આવી હતી. ભારત માટે હસતા હસતા ત્રણેય જવાનિયાઓ ફાંસીએ ચડી ગયા હતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. આજે પણ ભગત સિંહનું નામ યાદ આવે ત્યારે રોમ રોમમાં દેશભક્તિ ખીલી ઉઠે છે.
કહેવામાં આવે છે કે આ ત્રણ વીર સપૂતોને ફાંસી આપવાની ખબરથી દેશમાં લોકો ભડકી ઉઠ્યા હતા. ત્રણેની ફાંસીને લઇને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો હતો અને જેનાથી અંગ્રેજ સરકાર ડરી ગઇ હતી. તેમને લાગ્યુ કે માહોલ બગડી શકે છે. માટે તેમણે ફાંસીની તારીખ અને સમય બદલી દીધા હતા.
મિડીયા રિપોર્ટ્સ અનુસાર 23 માર્ચ 1931ના દિવસે જેલની અંદર સવારથી જ ચહેલ પહેલ શરૂ થઇ ગઇ હતી. અંગ્રેજ સરકારે ભગત સિંહને કેટલાક આરોપો હેઠળ ધરપકડ કરી હતી અને ફાંસીની સજાનું ફરમાન આપ્યુ હતુ. સજાવાળા દિવસે ભગત સિંહની આંખોમાં સહેજ પણ ડર નહોતો. પહેલાની જેમ જ કેદીઓ સાથે વાત કરી રહ્યા હતા અને ફરી રહ્યા હતા.
23 માર્ચ 1931 4 વાગે લાહોર સેન્ટ્રલ જેલના વોર્ડને અન્ય કેદીઓને આદેશ કર્યો કે બધા પોત પોતાના બેરકમાં જતા રહે આ વાત સાંભળીને કેદીઓને પણ અજુગતુ લાગ્યુ હતુ. ત્યારે જેલના નાયીએ જેલમાં ધીમી અવાજે કહ્યું કે આજ રાત્રે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાવાની છે.
ફાંસીની તારીખ બદલાતા કેદીઓ ગુસ્સામાં હતા
આ ખબરથી કેદીઓમાં ખુબ ગુસ્સો હતો કે કેવી રીતે બ્રિટીશ સરકાર કોઇ પણ કાયદાકીય કાર્યવાહી કર્યા વર નિર્ણય આપી શકે છે. તો શહીદ-એ-આઝમ ભગત સિંહને બીજા દિવસે સવારે 4 વાગ્યાની જગ્યાએ તે જ જગ્યાએ 7 વાગે ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા.
ત્રણેનુ વજન કરવામાં આવ્યુ અને છેલ્લુ સ્નાન કરવા કહ્યું
ત્રણેનું વજન કરવામાં આવ્યુ અને બધાને કહેવામાં આવ્યું કે છેલ્લુ સ્નાન કરી લોય બાદમાં તેમને કાળા કપડા પહેરાવવામાં આવ્યા પરંતુ તેમના ચહેરા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેવા જેલની ઘડિયાળમાં 6 વાગ્યા બધા જ લોકો જોર જોરથી ઇંકલાબ જીંદાબાદ અને હિન્દુસ્તાન આઝાદ હો તેવા નારા લગાવવા લાગ્યા હતા.
સુખદેવે સૌથી પહેલા ફાંસી લટકવા હા પાડી
ભગત સિંહે પોતાન માતાને આપેલુ વચન પૂરુ કર્યુ. તેમની માતા ઇચ્છતી હતી કે તે ફાંસીના તખ્તાથી ઇંકલાબ જીંદાબાદનો નારો લગાવે. સુખદેવે સૌથી પહેલા ફાંસી પર ચડવા માટે હા પાડી દીધી હતી. જલ્લાદે એક એક કરીને દોરડુ ખેંચ્યુ અને ફાંસીએ ચડાવી દીધા હતા. ઘણા સમય સુધી તેમના શરીર લટકતા રહ્યાં અને ત્યાં રહેલા ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ત્રણેય યુવાનોએ સાબિત કર્યુ હતુ કે માતૃભૂમિથી વધારે કંઇ નથી.