ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ એલાન કર્યું છે કે તેઓ આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે.
T-20ની કેપ્ટનશિપ કોહલીએ કેમ છોડી?
શું વિરાટને રાજીનામું આપવા ફરજ પડાઈ?
આખરે કેમ છોડી વિરાટે T-20ની કેપ્ટનશિપ?
T-20ના કેપ્ટન તરીકે કોહલી કેમ OUT?
કોહલી કેપ્ટન તરીકે આઉટ
ક્રિકેટમાં કોઈ હલચલ થાય તો ભારતમાં છાની ન રહે કારણ કે ક્રિકેટ સાથે દરેક ભારતીયોનો અતૂટ નાતો છે. ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી. વાત એમ છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દેવાની જાહેરાત કરી છે. આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ વિરાટ છોડી દેશે. આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે અને ક્રિકેટરને ભગવાન માનવામાં આવે છે. ત્યારે ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી ખબર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ એલાન કર્યું છે કે તેઓ આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીએ આ અંગે ખાસ એક ચિઠ્ઠી લખીને આખી દુનિયાને જણાવ્યું છે કે વર્કલોડ વધુ હોવાને કારણે તે હવે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ નહીં કરે અને પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપશે.
ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલીની એન્ટ્રી 2008માં થઈ હતી પરંતુ પહેલીવાર ટેસ્ટક્રિકેટ ટીમની કેપ્ટનશિપ વર્ષ 2014માં મળી. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેતાં વિરાટને કેપ્ટન બનાવાયા હતાં. આ પછી 2017માં વિરાટ વન-ડે અને T-20 ટીમના કેપ્ટન બન્યા. 2017 સુધીમાં વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બની ચૂક્યા હતાં.
છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છે સંઘર્ષ
પરંતુ વિરાટ કોહલીએ જે T-20ની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે તેની પાછળ બે મોટા કારણ હોઈ શકે છે પહેલું કારણ એ કે હાલના પોતાના દેખાવને લઈને વિરાટ પ્રેશરમાં છે તો બીજું કારણ એ કે તેઓ કેપ્ટનશિપને લઈને પણ ઘણાં પ્રેશરમાં હતાં. એટલે કે વિરાટ કોહલી એક બેટ્સમેન તરીકે પણ દબાણમાં હતાં અને ઉપરથી કેપ્ટનશિપને લઈને પણ ભારે પ્રેશરમાં હતાં. વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. વિરાટે અત્યાર સુધીમાં 23 હજાર 93 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 17 સદી લગાવી ચૂક્યા છે પરંતુ નવેમ્બર 2019 પછી વિરાટે એકપણ શતક નથી લગાવી. છેલ્લાં દોઢ વર્ષથી વિરાટ 1 સેન્ચૂરી માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિરાટ માટે કહેવાય છે કે સચિનના વિક્રમોની બરોબરી કરી શકે તો તે વિરાટ છે. પરંતુ હાલના તેના પ્રદર્શનથી ઘણું જ મુશ્કેલ લાગી રહ્યું છે. હવે વિરાટને લાગી રહ્યું છે કે લોકો તેની પાસેથી સચિન તેંડુલકર જેવી આશા રાખે છે. અને સચિનના રેકોર્ડ તોડે તેવી આશા રાખે છે આવામાં વિરાટ ત્યારે જ તેની બેટ્સમેનશિપ ખીલવી શકે જ્યારે તેના પરથી કેપ્ટનશિપનો ભાર હળવો થાય. સચીન તેંડુલકરે પણ એકસમયે ભારતના કેપ્ટન હતાં ત્યારે તેની બેટિંગ પર અસર જોવા મળી હતી. આ પછી સચિને કેપ્ટનશિપ છોડી માત્રને માત્ર બેટિંગ પર જ ધ્યાન આપ્યું હતું અને રેકોર્ડ બનાવ્યા.
ક્યારે કોહલી રહ્યો નિષ્ફળ?
કેપ્ટન તરીકે વિરાટ કોહલી સામે ઘણા પડકારો હતાં તેની કેપ્ટનશિપ સામે ઘણા સવાલો ઊઠ્યા હતાં. 2017માં વિરાટની કેપ્ટશિપમાં ભારતીય ટીમ વન ડે ચેમ્પિનશિપમાં પાકિસ્તાન સામે ફાઈનલમાં હારી ગઈ હતી. વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં એકપણ ICC ટ્રોફી નથી જીતી. વિરાટની કેપ્ટનશિપમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ ભારતની ટીમ હારી ગઈ છે. IPLમાં પણ વિરાટ કોહલી રૉયલ ચેલેન્જર બેંગ્લોરને જીતાડી નથી શક્યા.આથી વિરાટની કપ્તાની પર સવાલ ઊઠવા સ્વાભાવિક છે. એટલે વિરાટ કોહલી પર કેપ્ટનશિપ છોડવાનું દબાણ જરૂર હતું આથી એટલાં જ માટે ક્રિકેટબોર્ડ તેને કેપ્ટનશિપમાંથી દૂર કરે તે પહેલાં જ પોતે નિર્ણય કરી લીધો. કોહલીએ તેના પત્રમાં સ્પષ્ટ કર્યું કે તે કામનો બોજ ઘટાડવા માંગે છે. કોહલી માત્ર ટી 20 ની કેપ્ટનશીપ છોડી રહ્યો છે પરંતુ તે બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે. હવે આશા રાખીએ કે કોહલી કેપ્ટનશિપ છોડ્યા પછી તેનું બેસ્ટ પ્રદર્શન કરશે.