ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 T-20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ 1-1 થી બરાબર રહી
વિરાટ કોહલીએ કહ્યુ કે, આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા વર્લ્ડ T-20 પહેલા ટીમને અજમાવવા ઇચ્છતા હતા
ટીમ ઇન્ડિયાની હાર પછી કેપ્ટન વિરાટચ કોહલીએ મેચ પ્રેઝનેન્ટેશનમાં કહ્યુ કે,''આ પ્રકારની પિચ પર પહેલા બેટિંગ કરીને ટીમને અજમાવવામાં આવશે, આ ટીમની રણનીતિનો ભાગ છે. અમે આજ પ્રકારની મેચ ઇચ્છીએ છીએ. વર્લ્ડ T-20 ના પહેલા અમે આ પ્રકારની મેચ રમવા ઇચ્છીએ છીએ. અમે T-20 વર્લ્ડ કપમાં આવતા પહેલા બેટિંગની પેટર્નને અજમાવવા ઇચ્છીએ છીએ.''
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના વખાણ કર્યા, તેણે કહ્યુ કે, ''સાઉથ આફ્રિકાના બૉલર્સને શાનદાર ફોર્મ બતાવ્યુ.'' વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી જે વિશે કહ્યુ કે, ''વર્લ્ડ કપ પહેલા કોઇ પણ સ્થિતિમાં ટીમને જોવા ઇચ્છે છે. T-20 ક્રિકેટમાં રનનો ટાર્ગેટ પૂરો કરવો સરળ હોય છે. અન્ય ફોર્મેટમાં પાર્ટનરશિપ કરીને લાંબા સમય સુધી રમવાનું હોય છે. જ્યાં 40-5 રનની પાર્ટનરશિપ મહત્વની છે.''
આ સિવાય ટીમના સંયોજન વિશે કહ્યુ કે, અમે જલ્દીથી સુધારવા માંગીશું. આ સમયમાં ઘરેલૂ ક્રિકેટમાં સારા ફોર્મ કરનારા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. એવુ નથી કે અમે કોઇ અજાણ્યા ખેલાડીઓ સાથે રમી રહ્યા છીએ. આ ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટમા શાનદાર ફોર્મ કર્યુ છે અને આજ કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ કે, ''આપણે તે પણ સમજવાનું રહેશે, કે આ એક યુવા ટીમ છે. આજે અમે 9 વિકેટ ગુમાવી દીધી. મોટી ટૂર્નામેન્ટમાં અમે આ ખોટને જલ્દીથી પૂરી કરવા માટે પ્રયત્ન કરીશું.''