શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ મહિલા હોય કે પુરુષ ભગવાન શિવની આરાધના કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે સોમવારના વ્રત પણ કરે છે. મહિલાઓ પોતાના સુહાગના દીર્ઘાયુ માટે કામના કરે છે તો કુવારી યુવતીઓ મનગમતો જીવનસાથી મેળવવા આ વ્રત કરે છે. પરંતુ ધાર્મિક રીતે જોઈએ તો શિવ પૂજનના કેટલાક ખાસ નિયમો છે. માનવામાં આવે છે કે અપરિણિતોએ શિવલિંગની પૂજા ન કરવી જોઈએ. કુવારી યુવતીઓ માટે શિવલિંગને અડવું વર્જિત ગણાય છે.
શ્રાવણમાં શિવપૂજાના છે કેટલાક ખાસ નિયમ
કુંવારી યુવતીઓ માટે શિવલિંગને અડવું વર્જિત
અપરિણિતોએ શિવલિંગની પૂજા ન કરવી જોઈએ
તપ ન થઈ જાય ભંગ
કુંવારી યુવતીઓને શિવલિંગથી દૂર રહેવાનું શાસ્ત્રોમાં જણાવાયું છે. તેનું કારણ એ માનવામાં આવે છે કે તપમાં વ્યસ્ત ભગવાન શિવની તપસ્યામાં કોઈ ખલેલ ન પડે. આ કારણે કુંવારી યુવતીઓને શિવલિંગથી દૂર રહેવા જણાવાયું છે. અપરિણિતો માટે શિવલિંગની પરિક્રમા કરવા માટે પણ પાબંધી રાખવામાં આવી છે.
આ માન્યતા છે જોડાયેલી
માન્યતા અનુસાર અપરિણિત નારીને શિવલિંગની પાસે જવાની પરમિશન નથી. તેમનું માનવું છે કે જો કુંવારી યુવતીઓ શિવલિંગની ચારેતરફ ફરે છે તો ભગવાન શિવના ધ્યાનમાં ખલેલ પડી શકે છે. આ કારણે કુંવારી યુવતીઓને શિવજીના સ્પર્શ, તેમની પૂજા, પરિક્રમાથી દૂર રહેવા જણાવાયું છે.
પૂજા કરવામાં નથી કોઈ પાબંધી
કુંવારી યુવતીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવી છે. તેઓ પૂજા કરી શકે છે. માન્યતા છે કે કુંવારી યુવતીઓ ભગવાન શિવની પૂજા કરે છે તો તેમને યોગ્ય વર મળે છે. લગ્નની મુશ્કેલીઓને પણ દૂર કરી શકાય છે. કુંવારી યુવતી સતત 16 સોમવારના વ્રત કરીને મહાદેવના આર્શીવાદ મેળવી શકે છે. શ્રાવણમાં ભગવાન શિવની સ્તુતિ કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ ફળે છે.