આપણામાંથી દરેક લોકો મોલ, સિનેમા હોલ અને ઓફિસના ટોયલેટનો ઉપયોગ કરે છે અને આ દરેક સ્થાનો પર સ્વચ્છતાનું ભરપૂર ધ્યાન રાખવામાં આવે છે. તમે દરેકે જોયુ હશે કે આ ટોયલેટના દરવાજા નીચેથી કપાયેલા હોય છે. પરંતુ શું તમે તેની પાછળ જાણવાનો પ્રયાસ કર્યો છે.
ટોયલેટના દરવાજા નીચેથી કાપેલા કેમ હોય છે?
ટોયલેટના દરવાજા નીચે કાપવાથી શું સારા ફાયદા થાય છે?
આમ તો આ પ્રાઈવસી સાથે જોડાયેલો મામલો છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે ટોયલેટના દરવાજાને નાનો રાખવા પાછળ શું કારણ જવાબદાર છે. દરવાજાને નીચેથી નાનો રાખવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ ભલે ના હોય, પરંતુ તેની પાછળનો તર્ક ખૂબ મજબુત છે. માનવામાં આવે છે કે ટોયલેટના દરવાજાને નીચેથી નાનો રાખવાથી ઘણાં સારા ફાયદા થાય છે. જે અંગે તમને વિસ્તૃત રીતે જણાવીશું.
સ્વચ્છતા માટે અત્યંત જરૂરી
સ્વચ્છતાની દ્રષ્ટીએ આપણે બધા સ્વચ્છ ટોયલેટનો ઉપયોગ કરવા માંગીએ છીએ. તેથી તેની સ્વચ્છતા અત્યંત જરૂરી છે અને જો ટોયલેટના દરવાજા જમીનની સરખામણીએ નાખ્યા હશે તો સફાઈ કરવામાં અગવડતા પડશે. આ ઉપરાંત પાણી અને ભેજના કારણે દરવાજાને સતત નુકસાન પણ થાય છે. જો દરવાજો નીચેથી કાપેલો હશે તો સફાઈ કરવામાં સરળતા પડશે અને પાણી રોકાવાની સમસ્યા પણ દૂર થશે.
મુશ્કેલીના સમયમાં મદદરૂપ
જો કોઈ વ્યક્તિ બિમારીના સમયે ટોયલેટનો ઉપયોગ કરશે તો તેના માટે કાપેલો દરવાજો મદદરૂપ સાબિત થશે. જો ટોયલેટનો દરવાજો નીચેથી કાપેલો હશે તો સતત હવાની અવર-જવર રહેશે. ગુંગળામણ અને અન્ય કોઈ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય છે. આ ઉપરાંત ઈમરજન્સી સ્થિતિમાં દરવાજાને નીચેથી કાપી ગમે તે રીતે અંદર ઘુસવાની શક્યતા પણ રહે છે.
કોઈ તમને હેરાન કરશે નહીં
અવાર-નવાર જોવામાં આવ્યું છે કે ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકોને કોઈ પણ પ્રકારનો ખલેલનો અનુભવ કરવા માંગતા નથી અને જો તમે જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો તો તેની આશંકા વધી જાય છે. એવામાં ટોયલેટમાં દૂરથી જોવાથી તમે અંદર બેઠેલો શખ્સ સરળતાથી જોઈ શકશો અને તમે ટોયલેટના દરવાજાને ખખડાવશો નહીં.