તાલિબાનને ભારત સાથે દોસ્તીમાં ખૂબ રસ છે એટલે જ તાલિબાનની ભાષા ભારતને લઈને બદલાઈ ગઈ છે.
બદલાઈ રહ્યું છે તાલિબાન?
ભારતની તાલિબાન સાથે ચર્ચા
ભારત અને તાલિબાન નજીક આવતાં ધૂંધવાયું પાકિસ્તાન
કેમ તાલિબાન ભારત સાથે હાથ મિલાવવા તલપાપડ?
તાલિબાનને ભારત સાથે દોસ્તીમાં ખૂબ રસ છે એટલે જ તાલિબાનની ભાષા ભારતને લઈને બદલાઈ ગઈ છે. અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરી રહ્યું છે. ચીન પોતાના નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડવાનું કહી રહ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ફરતે તાર લગાવી રહ્યું છે અને બીજી બાજુ તાલિબાન ભારત સાથે સારા સંબંધની આશા રાખી રહ્યું છે. આવું કેમ? આવો જાણીએ.
બધા દેશો છોડી રહ્યા છે અફઘાનિસ્તાન
અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરી રહ્યું છે. ચીન પોતાના નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડવાનું કહી રહ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ફરતે તાર લગાવી રહ્યું છે અને બીજી બાજુ તાલિબાન ભારત સાથે સારા સંબંધની આશા રાખી રહ્યું છે. અફઘાનિસ્તાનને ભલે અમેરિકા છોડી દે પરંતુ તાલિબાન એ સારી રીતે જાણે છે કે ભારત અફઘાનિસ્તાનનો સાથ ક્યારેય નહીં છોડી શકે.
અમેરિકા સામે બાંયો ચડાવતું તાલિબાન ભારત સાથે દોસ્તીનો રાગ કેમ અલાપે છે?
તાલિબાનને ભારત સાથે દોસ્તીમાં ખૂબ રસ છે એટલે જ તાલિબાનની ભાષા ભારતને લઈને બદલાઈ ગઈ છે. જે તાલિબાન અમેરિકા અને પાકિસ્તાન સામે બાંયો ચઢાવે છે. તે તાલિબાન ભારત સાથે દોસ્તીનો રાગ આલાપી રહ્યું છે. તાલિબાને કહ્યુ છે કે તે પોતાના પાડોશી દેશ સાથે શાંતિપૂર્વક રહેવા માંગે છે.
પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ હાલમાં બેથી ત્રણ વખત કતરના પ્રવાસે ગયા હતાં અને કહેવાય છે કે તેમણે તાલિબાનના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતને કારણે પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે. ઈમરાન ખાનના સલાહકાર મોઈદ યુસુફે ભારતની આ મુલાકાતથી ઝેર ઓક્યું છે, તેણે કહ્યુ કે ભારતે તાલિબાન સાથે બેઠક કરી તે શરમજનક ઘટના છે. જોકે, સ્વાભાવિક વાત છે કે તાલિબાન સાથે ભારત ઘરોબો કેળવે તે પાકિસ્તાનને ન ગમે. પાકિસ્તાનને લાગે કે એની બધી પોલ ભારતને ખબર પડી જશે અને ભવિષ્યમાં પાકિસ્તાન સામે જ તાલિબાનનો ઉપયોગ કરાય તેવો પણ પાકિસ્તાનને વહેમ હોઈ શકે.
તાલિબાનના પ્રવકતા સુહૈલ સાહિને ભારત અને કશ્મીરને લઈને પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં જણાવ્યુ કે પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે. બંને દેશોના અલગ-અલગ મૂલ્યો છે. ભારત પણ અમારો પાડોશી દેશ છે, કોઈપણ દેશ પોતાના પાડોશીને બદલી ન શકે. આપણે ચોક્કસપણે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે અને શાંતિપૂર્વક રહેવું પડશે. જે આપણા સૌના હિતમાં છે.
પાકિસ્તાનને આપી હતી ધમકી
જોકે, થોડા દિવસ પહેલાં તાલિબાને પાકિસ્તાનને પણ ધમકાવી કહ્યુ હતું કે જો તે અમેરિકાને તેનો એરબેઝ ઉપયોગ કરવા દેશે તો તેને તાલિબાનનો ખોફ સહન કરવો પડશે એટલે કે તેને તાલિબાનના હુમલા માટે તૈયાર રહેવું પડશે, ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છેઅને અમેરિકાની એરબેઝનો ઉપયોગ ન કરવા દીધો. હવે અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ સ્થિતિ પર ભારતની નજર છે. બીજી પાકિસ્તાન અને તાલિબાનના સંબંધોમાં પણ ઓટ આવી છે. આવામાં ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી છે. કતારના વિશેષદૂત મુજબ ભારતીય અધિકારીઓએ તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત માટે દોહાનો પ્રવાસ કર્યો હતો.
ડોભાલ કોઈ ખાસ મિશન પર?
એવું મનાઈ રહ્યું છે કે તાલિબાન સાથે ભારતીય અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના દિશા નિર્દેશમાં આગળ વધી રહી છે. જો કે સરકાર તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તાલિબાન તરફથી પણ આ વાતચીત અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે કતારના વિદેશ તથા રક્ષા મંત્રીઓ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી અને વૈશ્ચિવ ક્ષેત્રીય મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ. આ એક અઠવાડિયાની અંદર વિદેશ મંત્રીના ખાડી દેશોનો બીજી વાર પ્રવાસ હતો અને એમાં તાલિબાન મામલે પણ કંઈક રંધાયુ છે એટલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.