ભગવાન શિવ માટે એવું કહેવામાં આવે છે કે એ બ્રહ્માંડના કણ કણમાં સામેલ છે. એમને ભોલેબાબાના નામથી એટલા માટે બોલાવાય છે કારણ કે એ જલ્દીથી પ્રસન્ન થઇ જાય છે.
એવા ઘણા ઉપાય છે જેને અપનાવીને શિવજીને સરળતાથી ખુશ કરી શકાય છે. જો કે કેટલાક નાના નાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
ભગવાન શિવની જ્યારે પણ પૂજા કરો ત્યારે ભૂલથી પણ શંખનો ઉપયોગ કરશો નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે કેમ ભગવાન શિવની આરાધનામાં શંખનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી છે? આજે અમે તમને જણાવીએ છીએ માટે.
જણાવીએ કે શિવપુરાણમાં આ રહસ્યનો ખુલાસો કરવામાં આવ્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઇ જમાનામાં શંખચૂડ નામનો એર મહાપરાક્રમી દૈત્ય હતો. એ દૈત્યરાજ દંભનો પુત્ર હતો. દૈત્યરાજ દંભે ઘણા વર્ષો સુધી ભગવાન વિષ્ણુની કઠિન તપસ્યા કરી અને એમને ત્રિલોક માટે અજેય અને મહાપરાક્રમી પુત્રનો વર માંગ્યો. આટલું જ નહીં દંભના પુત્ર શંખચૂડે બ્રહ્મા જી ની તપસ્યા કરીને એમને પોતાના માટે અજેય થવાનું વરદાન પ્રાપ્ત કર્યું.
ફળસ્વરૂપ થોડાક સમય બાદ એ ત્રિલોક પર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરી લીધું. શંખચૂડનમા અત્યાચારોથી ત્રિલોક ખરાબ રીતે પ્રભાવિત હતા. માણસ તો દૂર દેવતા પણ એમનાથી પરેશાન થઇ ગયા. એમનાથી છુટકારો મેળવવા માટે તમામ શિવજી પાસે ગયા પરંતુ શિવ જી એનો વધ કરવામાં અસમર્થ રહ્યા કારણ કે એને શ્રીકૃષ્ણ કવચ અને તુલસીની પતિવ્રત ધર્મની પ્રાપ્તિ હતી.
ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ બદલીને શંખચૂડથી શ્રીકૃષ્ણ કવચ દાનમાં લઇ લીધું. સાથે જ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીના શીલનું હરણ પણ કરી લીધું. આ વચ્ચે શિવ જી એ શંખચૂડને પોતાના ત્રિશૂળથી ભસ્મ કરી દીધા. એવું કહેવામાં આવે છે કે શંખચૂડના હાડકાથી જ શંખનો જન્મ થયો અને આ જ કારણ છે કે શિવ જી ની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે.