જ્યારથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી પાટીદાર નેતાઓના નામ સીએમ પદ માટે ચર્ચાવા લાગ્યા, આખરે કેમ?
ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ
પાટીદાર પર પસંદગી કેમ?
સીએમ માટે ચર્ચાઇ રહેલા તમામ નામ પાટીદાર ચહેરો
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે ગુજરાતની ગાદીએ તેની ચર્ચા ચકડોળે ચઢી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાયના છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા પહેલા ,નીતિન પટેલનું નામ સૌથી આગળ હતું. નીતિનભાઈ પોતાના કાર્યાલયથી કમલમ પહોચ્યા ત્યાં સુધી,નીતિન પટેલ જ મુખ્યમંત્રી છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.પરંતુ અમિત શાહ સાથેની બેઠક બાદ, વિજય રુપાણીનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહાર આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં જેમના નામ ચર્ચાતા હોય છે તેઓ મોટા ભાગે પદ પામતા નથી હોતા તે સર્વ વિદિત છે.પણ આ વખતે આવું ના પણ થાય. આમ છતાં કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામ પ્રફુલ્લ પટેલ અને ગોવર્ધન ઝડફીયાના નામ વિજય રૂપાણીના અનુગામી તરીકે ચર્ચાઇ રહ્યા છે. અને તમામે તમામ ભાજપના મોટા પાટીદાર ચહેરા છે.
પાટીદાર પર પસંદગી કેમ?
ગુજરાતમાં ધનાઢ્ય અને બહોળો સમાજ છે પાટીદાર
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે પાટીદારોની મોટી વસ્તી
ગુજરાતમાં 12થી 15 ટકા વસ્તી છે પાટીદારોની
અનેક મોટા ઉદ્યોગપતિ અને ધંધાદારી છે પાટીદારો
ગુજરાતમાં મોટી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ છે પાટીદારોની
આર્થિક રીતે સદ્ધર હોવાને કારણે રાજકારણમાં છે વર્ચસ્વ
કડવા અને લેઉવા બે સમાજમાં વહેંચાયેલા છે પાટીદારો
ગુજરાતમાં પાટીદારોનો પાવર
ગુજરાતમાં ખુબ જ મોટી બહૂમતિ છે પાટીદારોની
રાજ્યની અનેક વિધાનસભા બેઠકો પર પટેલની બહૂમતિ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક બેઠકનું ગણિત પાટીદારો નક્કી કરે છે
કોઈ પણ રાજકીય પાર્ટીને પાટીદારોની નારાજગી ન પોસાય
રાજ્યમાં આર્થિક સદ્ધરતામાં પાટીદારોને કોઈ પહોંચી શકે તેમ નથી
પાટીદારો ન માત્ર ગુજરાત પરંતુ વિદેશમાં પણ કરે છે વસવાટ
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્યગુજરાતમાં પણ પ્રભુત્વ
ગુજરાતના પાટીદાર CM
ગુજરાતમાં અત્યાર સુધી 4 પાટીદાર મુખ્યમંત્રી આવ્યા
ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ રહ્યા રાજ્યના મુખ્યમંત્રી
કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ પણ રહ્યા મુખ્યમંત્રી
રાજ્યના મંત્રીમંડળમાં અનેક પાટીદારો છે મંત્રીઓ
કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સૌથી વધારે પાટીદારો