ફિલ્મોથી માંડીને સામાન્ય જીવનમાં તમે કેટલીયવાર સાંભળ્યું હશે કે કોર્ટ દ્વારા જઘન્ય ગુનાઓમાં ગુનેગારને ફાંસીની સજા ફટકારવામાં આવે છે. ફાંસી આપવા માટે દિવસ અને સમય નક્કી કરવામાં આવે છે. જો કે મહત્વનું છેકે ફાંસી હંમેશા વહેલી સવારે જ આપી દેવામાં આવે છે. તેની પાછળ શું કારણ જવાબદાર છે ?
નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસીની સજા
આ કારણે વહેલી સવારે જ અપાશે ફાંસી
આજે તમને જણાવીએ આવું કેમ થાય છે. સૌથી પહેલી વાત છે કે ફાંસી આપતા પહેલા પણ કેટલાક નિયમો પાળવા પડે છે. ફાંસી આપવી તે જેલતંત્ર માટે એક મોટુ અને ઘણુ જ દુઃખદાયક કામ છે. આ કાર્યવાહીમાં જેલનો આખો દિવસ ન પસાર થાય તે માટે આ કામ વહેલું જ પુરૂ કરી નાખવામાં આવે છે. તે ઉપરાંત ફાંસી બાદ મેડિકલ ટેસ્ટ રજિસ્ટર એન્ટ્રી અને નોટ્સ જેવી કેટલીય પ્રક્રિયાઓ પુરી કરવાની હોય છે.
પરિવારનાં લોકો મૃતદેહનો કરી શકે અંતિમ સંસ્કાર
જેનાં કારણે સમય લાગે છે. એક કારણ તે પણ છે કે પરિવારનાં લોકોને સમય રહેતા મૃતદેહ સોંપવામાં આવે જેથી તેઓ અંતિમ ક્રિયા કરી શકે. માટે વહેલી ફાંસી આપીને તમામ ટેસ્ટ સહિતનાં કામ આટોપીને બપોર સુધીમાં દેહ સોંપી શકાય.
આખો દિવસ ન જોવડાવવી પડે રાહ
સવારે ફાંસી આપવાનું અન્ય નૈતિક કારણ પણ છે. એવુ માનવામાં આવે છે કે ફાંસીની સજા જેને ફટકારવામાં આવે છે તેની પાસે આખો દિવસ રાહ જોવડાવવી યોગ્ય નથી. તેનું મોત નિશ્ચિત છે તેવા સમયે તેનાં મગજ પર ખરાબ અસર પડી શકે છે. તેનાં મગજ પર અવળી અસર ન થાય તેનાં માટે સવારે વહેલા જ તેને ઉઠાવીને નિત્યકર્મ પતે તે પછી તેને ફાંસી માટે લઈ જવામાં આવે છે.
આ વ્યક્તિ ફાંસી સમયે હોય છે હાજર
ફાંસી આપતી વખતે ત્યાં એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ, જેલ અધિક્ષક અને જલ્લાદ હાજર રહે છે. આ લોકો પૈકી એક પણ વ્યક્તિ હાજર ન હોય તે કેદીને ફાંસી આપી શકાતી નથી. આ તમામ લોકોને પહેલા જ ફાંસીના દિવસ અંગે તથા સમય અંગેની જાણ કરવામાં આવે છે.
જલ્લાદ હંમેશા માગે છે દુવા
જલ્લાદ એવું નામ સાંભળીને આપના દિમાગમાં કોઈ ક્રૂર વ્યક્તિની છબી આકાર લેશે.પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના જલ્લાદ એવું ઈચ્છતા હોય છે કે, ગુનેગાર ફાંસી વખતે વખતે ખૂબ ઓછી પીડા ભોગવતાં મૃત્યુ પામે. આથી જલ્લાદ હમેંશા એવી દુવા માગતા હોય છે કે ગુનેગારનું મોત લાંબા સમયસુધી ગૂંગળાઈને ન થાય પરંતુ તેનુ મોત ગર્દનનું કરોડ રજ્જૂનું હાડકું તૂટીને થાય. કેમકે, એ પ્રકારે થતું મોત જલદી થાય છે અને ઓછી પીડા આપે છે.