ખેડાની રાયપુરા નર્મદા વસાહતની પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. 4 વર્ષથી નર્મદા વસાહતના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ નથી મળતું.
ખેડાની રાયપુરા નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં તંત્રનું ઓરમાયું વર્તન
4 વર્ષથી નર્મદા વસાહતના વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન
સરદાર સરોવર વિભાગે મૉનિટરિંગ બંધ કરતા સુવિધા આપવી બંધ કરવામાં આવી
ખેડાની રાયપુરા નર્મદા વસાહતની પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. 4 વર્ષથી નર્મદા વસાહતના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ નથી મળતું. ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને ભોજન માટે પણ બહાર જવું પડી રહ્યું છે. મધ્યાહન ભોજનની માંગણી કરવા છતા વિર્ધાર્થીઓને મધ્યાહન ભોજન મળતું નથી. ત્યારે 2018 માં નર્મદા વસાહતને બોરડી શાળામાં મર્જ કરવામાં આવી હતી. ત્યારે શાળામાં પીવાનું પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી. પ્રાથમિક સુવિધાથી વંચિત છે નર્મદા વસાહત શાળા. આ શાળા નર્મદાના વિસ્થાપિતો માટે બનાવવામાં આવી હતી. ત્યારે અગાઉ સરદાર સરોવર વિભાગ દ્વારા શાળાનું મોનિટરીંગ કરવામાં આવતું હતું. પરંતું સરદાર સરોવર વિભાગે મોનિટરીંગ બંધ કરતા સુવિધા આપવી બંધ કરવામાં આવી હતી.
અહીંયા જમવાનું બનાવવામાં આવતું નથીઃબાળકો
શાળાના બાળકોએ જણાવ્યું હતું કે શાળામાં રસોડું હોવા છતાં અહીંયા જમવાનું બનાવવામાં આવતું નથી. ત્યારે બપોરના સમયે ઘરે જમવા જઈએ છીએ. કેટલાય સમયથી શાળામાં જમવાનું બનતું નથી.
શાળા મર્જ થઈ ગઈ હોવાથી અહીંયા મધ્યાહન ભોજન કે નાસ્તો આપવામાં આવતો નથીઃશિક્ષક
શાળાના શિક્ષક સુધાબેન રાઠોડે જણાવ્યું હતું કે આ શાળા મર્જ થઈ ગઈ છે. જેના કારણે અહીંયા મધ્યાહન ભોજન કે નાસ્તો આપવામાં આવતું નથી. અહીંયા પાણીની પણ વ્યવસ્થા નથી. અહીંયા 6 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે બપોરના સમયે તેમના ઘરનાં સભ્યો ખેતરમાં મજૂરી કામ કરતા હોઈ તેઓ બપોરના સમયે ઘરે જમવા જતા બાળકોને તેમની સાથે લઈ જાય છે.