ભારતની એક મિસાઈલ પાકિસ્તાન પંજાબના મિયાં ચન્નૂ શહેરમાં 9 માર્ચે અચાનક જઈને પડી હતી. તેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે આ ગંભીર મુદ્દાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.
ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી
પાકિસ્તાનીઓમાં ફફડાટ બેઠો
ભારત સરકાર એક્શનમાં આવી
ભારતની એક મિસાઈલ પાકિસ્તાન પંજાબના મિયાં ચન્નૂ શહેરમાં 9 માર્ચે અચાનક જઈને પડી હતી. તેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે આ ગંભીર મુદ્દાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. આ તમામની વચ્ચે રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, મિસાઈલમાં એક ટેકનિકલી ખામી હતી, જેને લઈને આવું થયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મિસાઈલનું રૂટીન મેંટનેસ કરવામાં આવી રહ્યું હતું, પણ ટેકનિકલી ખામીના કારણએ તેને અચાનક ઉડાન ભરી અને પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ ઘટના પર રક્ષામંત્રાલયે ઉંડા ખેદની લાગણી વ્યક્ત કરી છે.
ભારત સરકાર એક્શનમાં આવી
મંત્રાલયે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કોર્ટ ઓફ ઈન્કવાયરી બેસાડવામાં આવી છે. ડિફેંસ મિન્સ્ટ્રીએ કહ્યું કે, 9 માર્ચે મિસાઈલ રૂટિન મેંટનેસ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. ભારતે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ આપી દીધા છે. આ જાણવા મળ્યું છે કે, આ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી હતી. જે અત્યંત દુ:ખદ ઘટના છે, પણ રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈનું મોત નથી થયું. સમગ્ર મામલાની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે, સરકાર આ મામલામાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો
આ ઘટના બાદ પાકિસ્તાને શુક્રવારે ઈસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા અને પોતાના વિસ્તારમાં મિસાઈલ પડવાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 9 માર્ચે સાંજે 6.43 વાગ્યે અચાનક આ મિસાઈલ ફાયર થઈ ગઈ હતી અને 6.50 વાગ્યે પાકિસ્તાનના પંજાબના મિયા ચન્નૂ શહેર પાસેના એક મેદાનમાં જઈને પડી હતી.
પાકિસ્તાનમાં જઈને પડી મિસાઈલ
પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતીય સુપરસોનિક મિસાઈલે સિરસાથી ઉડાન ભરી અને બુધવારે સાંજે પાકિસ્તાનમાં 124 કિમી અંદર પડી હતી. એવું કહેવાયુ છે કે, મિસાઈલ 40,000 ફૂટની ઉંચાઈએથી આવી હતી અને ભારતીય તથા પાકિસ્તાની એમ બંને હવાઈ ક્ષેત્રોમાં યાત્રી ઉડ઼઼ાનો અને જમીન પર નાગરિકો અને સંપત્તિને પણ ખતરામાં નાખી રહ્યા છે.