રાજ્યમાં કેટલાંક સમાચાર એવાં હોય છે જે જાણવા મળે ત્યારે આશ્ચર્ય સાથે આનંદની પણ અનુભૂતિ થાય છે. આવાં સમાચારમાં બે પ્રકારનાં સમાચાર જાણવા મળે ત્યારે આનંદ થયાં વગર રહે જ નહીં. એક વાતનો આનંદ ત્યારે થાય છે જ્યારે ગીરનાં જંગલોમાં સિંહોની વસ્તી વધી હોવાનાં આંકડા સામે આવે છે અને બીજી આનંદ સાથે આશ્ચર્યની અનુભૂતિ ત્યારે થાય છે જ્યારે જાણવાં મળે છે કે, ખોટ કરતી એસ.ટી નિગમની આવક વધી છે.