કેમ ગુજરાતના યુવાનો આગળ નથી વધી શક્તા, તેનું કારણ સરકાર જ વિધાનસભામાં જણાવી રહી છે કે રાજ્યની સરકારી અને ખાનગી 9500થી પણ વધુ શાળાઓ મેદાન વગરની છે
રમત-ગમત ક્ષેત્રે ગુજરાત કેમ પાછળ?
કેમ ગુજરાતના યુવાનો આગળ નથી વધી શક્તા?
કેમ રમત-ગમતમાં ઓછા ખેલાડીઓ આગળ આવે છે?
વીટીવી વિશેષમાં સૌથી પહેલા વાત કરવી છે. શારિરીક પાયાની.. હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં વિશ્વ લેવલે ભારતની માત્ર કીરકીરી જ થઈ છે. કારણ કે, ભારતનું પ્રદર્શન નિરાશા જનક રહ્યું છે. પરંતુ ભારતની આ સ્થિતિનું મુળ કારણ ઘડતરના પાયામાં છે. વાત ગુજરાતની કરવી છે. જ્યાં બાળકના ઘડતરનો પાયો જ રમત વિહોણો છે. અને આવી જ સ્થિતિ દેશભરમાં છે. કારણ કે શાળાઓ છે. પરંતુ મેદાન નહીં. ત્યારે આવો જાણીએ કેમ આપણે રમત-ગમત ક્ષેત્રે પાછળ છીએ. અને તેના મુળકારણો ક્યા છે.
બાળકને ખેલાડી બનાવવા માટે તે નાનું હોય ત્યારથી જ તેનામાં રમત-ગમત પ્રત્યે માનસિકતા બને અને તે ખુદને મેદાનમાં જોય તો આગળ જતાં તે રમત-ગમત ક્ષેત્રે આગળ વધી શકે. જો કે આપણે ત્યાં સ્થિતિ એ છે કે બાળકનું જ્યાં ઘડતર થાય છે એ શાળાઓ કે કોલેજોમાં મેદાનો જ નથી. હવે તમે જ વિચારો કે, જ્યાં મેદાન જ નથી. ત્યાં બાળકો કેવી રીતે રમતા થશે.! અમદાવાદ સહિતના શહેરોમાં આવેલી મોટાભાગની શાળાઓ મેદાન વગરની હોય છે. સરકાર જ વિધાનસભામાં જણાવી રહી છે કે રાજ્યની સરકારી અને ખાનગી 9500થી પણ વધુ શાળાઓ મેદાન વગરની છે. તેવામાં આ સ્થિતિમાં બાળક કેવી રીતે રમત પ્રત્યે રસ દાખવતું થાય?
માત્ર મેદાન વગરની શાળાઓ જ નહીં પરંતુ વ્યાયામ કે શારીરિક શિક્ષણના શિક્ષકો પણ રાજ્યની શાળાઓમાં નથી., હાલમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વ્યાયામના માત્ર 700 શિક્ષકો છે.. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિકમાં 1500 વ્યાયામના શિક્ષકો છે.. છેલ્લે 2009માં વ્યાયામના શિક્ષકોની ભરતી કરાઈ હતી, જે બાદ શાળાઓ વ્યાયામના શિક્ષકોની રાહ જોઈ રહી છે.. તો શારીરિક શિક્ષણના કલાસ પણ મેદાન વગર બંધ કરી દેવાયા છે.. વ્યાયામ શિક્ષકોના હીત માટે લડત ચલાવતા જન્મેજયસિંહ તો જણાવે છે કે સરકાર વ્યાયામને મુખ્ય વિષય જ નથી ગણતી. તો રમત-ગમત પ્રત્યે બાળકો રસ કેવીરીતે દાખવે? તો કોલેજમાં શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલ ધરમસિંહ દેસાઈ જણાવે છે કે સરકારની શારીરિક શિક્ષણ અંગે ઉદાસીનતાના કારણે ગુજરાત સારા ખેલાડીઓ નથી આપી શકતું..