સવારે ઉઠતાની સાથે જ હાથના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સૌભાગ્ય વધારે છે.
સવારે ઉઠીને કરો હથેળીના દર્શન
જાણો તેની પાછળનું શું છે કારણ
આ માન્યતાઓ વિશે નહીં જાણતા હોવ તમે
હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં સવારે ઉઠીને પોતાની હથેળીના દર્શન કરવાની વાત કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે સવારે ઉંઘમાંથી ઉઠતાની સાથે જ આમ કરવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે હથેળીના સૌથી ઉપરના ભાગમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
હથેળીના દર્શન માનવામાં આવે છે શુભ
ગ્રહ દશાને શુભ બનાવવા માટે ઉંઘમાંથી ઉઠ્યા બાદ હથેળીઓના દર્શન કરવા જોઈએ. તે ઉપરાંત બન્ને હાથોના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. સકારાત્મક ઉર્જાને વધારવા માટે હથેળીઓના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે.
હથેળીઓમાં હોય છે તીર્થ
ધાર્મિક માન્યતા છે કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચે સરસ્વતી અને સૌથી નીચેના ભાગમાં ગોવિન્દનો વાસ હોય છે. તે ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે હથેળીઓમાં અમુક તીર્થ પણ આવેલા છે. ડાબા હાથની હથેળીની ચારે આંગળીઓમાં દેવતીર્થ છે. તર્જની આંગળીના મૂળ ભાગમાં પિતૃતીર્થ છે. જ્યારે સૌથી નાની આંગળીમાં પ્રજાપતિ તીર્થ છે.
સાથે જ અંગુઠાના ભાગમાં બ્રહ્મતીર્થ છે. આ સાથે જ ડાબી હથેળીની વચ્ચે અગ્નિતીર્થ છે. જ્યારે ડાબી હથેળીની વચ્ચે સોમતીર્થ છે. આંગળીઓની દરેક જગ્યાઓ અને જ્વોઈન્ટ્સમાં ઋષિતીર્થ છે. માટે તેમના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. હથેળીના દર્શન કરતી વખતે "कराग्रे बसते लक्ष्मीः करमध्ये सरस्वती, करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्" આ મંત્ર બોલવો જોઈએ.