આપણુ શરીર ફીટ રહે તેના માટે પાણી પીવુ અત્યંત જરૂરી છે. હંમેશા કહેવામાં આવે છે કે જો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીએ તો શરીરની અડધી પરેશાનીઓનો આપોઆપ ઉકેલ આવી જાય છે. આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢનારા પોષક તત્વોને શરીરમાં લાવવાનું કામ પાણી જ કરે છે.
શરીરને ફીટ રાખવા માટે પાણી પીવુ અત્યંત જરૂરી
પાણી યોગ્ય માત્રામાં પીવાથી ઘણા ફાયદા થાય છે
પાણી ઓછુ પીશો તો થશે પાચન તંત્રમાં સમસ્યા
પુષ્કળ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે
પાણી ઓછુ પીવાથી શરીરમાં ઘણા પ્રકારના રોગ થાય છે. આયુર્વેદમાં પણ યોગ્ય માત્રામાં પાણી પીવાથી ઘણા ફાયદા જણાવવામાં આવ્યાં છે. પરંતુ આ સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આપણે કેવીરીતે પાણી પીવુ જોઈએ. જો આપણે સારી રીતે પાણીનું સેવન નહીં કરીએ તો પણ શારીરીક પરેશાનીઓ થઇ શકે છે. એટલું જ નહીં, જો પાણી યોગ્ય રીતે નહીં પીવો તો સૌથી પહેલા તમારું ડાઈજેશન બગડી શકે છે.
પાણી ઓછું પીવાથી બગડે છે ડાઇજેશન
શરીરના પોષક તત્વો માટે ભોજનનું યોગ્ય ડાઈજેશન ખૂબ જરૂરી છે. તેમાં પાણીનું યોગદાન મહત્વનું હોય છે. મહત્વનું છે કે, જો તમે ખાવાનુ ખાધા પહેલા અને ખાવા દરમ્યાન પાણી પીવો છો તો તેનાથી તમારું પાચન તંત્ર બગડી શકે છે. આ જ કારણ છે કે આયુર્વેદ મુજબ એવુ માનવામાં આવે છે કે જો આપણે આવુ કરીએ છીએ તો તેની સીધી ખરાબ અસર પેટ પર પડે છે. કારણકે પાણીમાં શીતળ તત્વ છે અને પેટમાં અગ્નિ એટલે કે તાપ હોય છે. એવામાં ખાવાના સમયે પાણી અગ્નિને શાંત કરી નાખે છે. જેનાથી ભૂખ મરી જાય છે અને મેદસ્વિતા પણ વધે છે. એટલું જ નહીં, ખાવાનુ ખાધા બાદ પણ લગભગ અડધા કલાક બાદ પાણી પીવુ જોઈએ.
પાણી પીતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
ક્યારેય પણ એકસાથે અઢળક પાણી ના પીશો.
હંમેશા થોડુ-થોડુ કરીને પાણી પીવો.
જમ્યા પહેલા અને જમ્યા બાદ ક્યારેય પણ પાણી પીવુ ના જોઈએ.
આ ગેસ્ટ્રિક જૂસને પતલુ કરી શકે છે જેનાથી પાચનની સમસ્યા થાય છે.
જો તમને પાણીની તરસ લાગી છે તો જમ્યાના 30 મિનિટ પહેલા અને જમ્યાની 30 મિનિટ બાદ પાણી પીવો.
જો જમતી વખતે વધુ તરસ લાગે તો ફક્ત 1 અથવા બે ટીપા પાણી પીવુ જોઈએ.
ભોજનના યોગ્ય ડાઈજેશન માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણી પીવુ જોઈએ.
ઠંડા પાણીની તુલનામાં ગરમ પાણી વધુ હાઇડ્રેટિંગ હોય છે.