5. મંગળવારના દિવસે ના કરો આ કામ નહીંતર..../ why-should-we-not-do-these-4-things-on-tuesday
હિંદુ ધર્મની પરંપરા મુજબ માનવામાં આવે છે કે દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે. દિવસ અનુસાર કામ કરવામાં આવે તો દેવી-દેવતાઓની કૃપા રહે છે. જ્યોતિષ અનુસાર મંગળવારને મંગળ ગ્રહનો કારક માનવામાં આવે છે જેથી આ દિવસે કેટલાક કામો કરવા ના જોઇએ...
શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે મંગળવારના દિવસે ધન આપવું જોઇએ નહી કે લેવું પણ જોઇએ નહી. જેના કારણે આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.
મંગળવારને હનુમાનજીનો દિવસ હોય છે. આ દિવસે સાત્વિક રહેવું જોઇએ એટલા માટે દારૂ માંસાહારથી દૂર રહેવુ જોઇએ. જેના કારણે ભગવાનની કૃપાદ્રષ્ટિ તમારા પર રહેશે અને કાર્યોમાં મુશ્કેલી નહી આવે.
પરંપરા અનુસાર માનવામાં આવે છે કે મંગળવારના દિવસે દાઢી કે વાળ કાપવવા ના જોઇએ. જેનાથી મંગળ દોષ લાગી શકે છે.
મંગળવારના દિવસે નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. જો તમે નખ કાપશો તો તમારે દિવસ દમરિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.