હિંદુ ધર્મમાં દરેક વાર કોઇના કોઇ દેવી-દેવતાઓ સાથે હોય છે. એટલા માટે વારના હિસાબથી દેવી-દેવતાઓને પૂજવામાં આવે છે. વાર ઉપરાંત શુભ કામ માટે શુભ મૂહુર્ત જોવામાં આવે છે. કહેવામાં આવે છે કે શુભ મૂહુર્તમાં કરેલું કામ શુભ હોય છે. એ કામમાં કોઇ પરેશાની આવતી નથી. આ સાથે જ દરેક ભગવાનને અલગ અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. એવી જ રીતે તુલસીથી જોડાયેલી એખ માન્યતા છે કે રવિવારે તુલસી તોડવી જોઇએ નહીં. ચલો તો જાણીએ રવિવારે તુલસી નહીં તોડવાના કારણ વિશે...
માનવામાં આવે છે કે રવિવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે અને તુલસીને ભગવાન વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે. એટલા માટે એ દિવસે તુલસીને તોડવી અશુભ માનવામાં આવે છે. વિષ્ણુ જી ને તુલસી પ્રિય બનાવવાનો શ્પે. ભગવાન ગણેશને જાય છે. તુલસીપત્રને તોડ્યા ઉપરાંત એને લગાવવા અને પૂજામાં ઉપયોગને લઇને ઘણી માન્યતાઓ છે. જેમ કે ગુરુવારે તુલસીનો છોડ લગાવવો જોઇએ. એને ઘરની બહાર લગાવવાની જગ્યાએ ઘરના આંગણમાં લગાવવો જોઇએ. તુલસીનો છોડ લગાવવા માટે સૌથી સારો કાર્તિક મહિનો માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે ભગવાન ગણેશના વરદાનના કારણે તુલસી શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પ્રિય બની અને સાથે મોક્ષ દાયની પણ બની. તો બીજી બાજુ ગણેશ જી ના શ્રાપના કારણએ તુલસી ક્યારેય પણ એમની પૂજામાં ચઢાવવામાં આવતી નથી.