કહેવાય છે કે જેની ચા બગડી તેની સવાર બગડી, જેની દાળ બગડી તેનો દિવસ. તો તમારો દિવસ અમે નહીં બગડવા દઈએ અને એટલે જ કેટલીક ઉપયોગી માહિતી તમારી માટે લઈને આવ્યાં છીએ.
ગુજરાતમાં તુવેર એ અગત્યનો કઠોળ પાક છે. કોઈ પણ ગુજરાતીનો દિવસ દાળ વગર પૂરો નથી થતો. એટલે જ ગુજરાતમાં આ ખરીફ પાકનું વાવેતર 2થી 3 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તુવેરનું વાવેતર થાય છે. તેની સરેરાશ ઉત્પાદકતા હેક્ટર દીઠ 900થી 1100 કિલો હોય છે.
હાલ ગુજરાતીઓના ઘરમાં તુવેરદાળ ભરવાની સિઝન ચાલી રહી છે ત્યારે તમે પણ જો તૈયારી કરી રહ્યાં છો તો ઉત્તમ ક્વૉલિટીની દાળની પસંદગી કેવી રીતે કરશો તેમ જ દાળ ભરતા પહેલાં કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખશો તે જાણવી જરૂરી છે.
તુવેરદાળ ભરતા પહેલા શું ધ્યાન રાખશો?
તુવેર ઉગાડતી વખતે કોઈ ફર્ટીલાઈઝર તો નથી વપરાયાને
તુવેરમાંથી દાળ બનતી વખતે પ્રોસેસ અને ક્વોલિટી
તુવેરનો સ્વાદ કેવો છે?
તુવેરની દાળનો રંગ પણ જરૂરી છે.
બને તો પરંપરાગત તુવેરદાળ જ ખરીદો
ઉપરના તમામ માપદંડો પર ખરી ઉતરતી દાળ એટલે રેંટિયો તુવેર દાળ. ગુજરાતમાં ઘરે ઘરે જાણીતી રેટિયો તુવેરદાળ દરેક ગુજરાતીના વાનગીમાં મનગતી છે કારણ કે, તે ઝટપટ ગળી જાય છે તેમ જ તેનો સ્વાદ અનુપમ છે અને સુંગધ બેમિસાલ. તેમ છતાં તે સંપૂર્ણ દેશી અને શુદ્ધ કેવી રીતે છે તે પણ જાણીએ...
રેંટિયો તુવેરદાળની સાત બાબતો જે તેને દરેક ગુજરાતીના રસોડાની પહેલી પસંદ બનાવે છે
દેશી, શુદ્ધ, સોનેરી, સુંગધિત, સ્વાદિષ્ટ, પૌષ્ટિક, અને ઈમાનદારી – આ સાત બાબતોના સમન્વયથી બનતી દાળ એટલે રેંટિયો તુવેરદાળ. વાવેતરથી લઈને તે તમારા રસોડા સુધી પહોંચે ત્યાં સુધીની તમામ પારદર્શક પ્રોસેસ રેંટિયોની તુવેરદાળને ખાસ બનાવે છે.
સ્થાનિકો કરે છે વાવેતર, ક્વૉલિટીમાં નથી થતી કોઈ બાંધછોડ
રેંટિયો તુવેર દાળમાં વાવેતરથી લઈને પ્રોસેસિંગ અને પેકેજિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પૂર્ણ દેશી અને પરંપરાગત રીતે દાળનું સ્થાનિક આદિવાસીઓ દ્વારા વાવેતર કરવામાં આવે છે. વળી તેમાં કોઈ પણ જાતના હાનિકારક ફર્ટીલાઈઝર વાપરવામાં નથી આવતા. તૈયાર થઈ ગયેલી તુવેરને મિલમાં લવાય છે અને અહીંથી શરૂ થાય છે તુવેર દાળની સોનેરી સફર. તુવેરને એક પછી એક ક્વોલિટિ ટેસ્ટમાંથી પસાર કરવા પડે છે.
તુવેરના છોતરા ઉતારવા માટે પાણીનો ઉપયોગ નહીં
તુવેરને છડીને છોતરા ઉતારવા માટે પાણી નહીં પણ કપાસિયાનું શુદ્ધ તેલ વાપરવામાં આવે છે. જેને કારણે તે એકદમ પરફેક્ટ બને છે. દરેક પ્રોસેસિંગ પહેલા તેનો ટેસ્ટ તો પાક્કો જ. કલરથી લઈને ક્વોલિટિનું ટેસ્ટિંગ દરેક પગલે કરવામાં આવે છે.
સંપૂર્ણ શાકાહારી
તુવેરમાંથી દાળ બનવાની પ્રોસેસમાં સફાઈથી લઈને છડામણ અને છોતરા દૂર કરવામાં જે કન્વેયર બેલ્ટનો ઉપયોગ સામાન્ય રીતે ચામડાનો હોય છે તે પણ અહીં થતો નથી. જેના પગલે આ એક 100 ટકા સંપૂર્ણ શાકાહારી છે.
રેંટિયો નામ કેવી રીતે પડ્યું?
સૌથી પહેલા તો રેંટિયો નામ કેવી રીતે પડ્યુ? તો આ પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે. રેંટિયો એટલે ચરખો એટલે એનું પ્રતિક જ દેશી છે. એટલે તેનું નામ રેંટિયો પાડ્યુ. શુદ્ધ, દેશી અને ઈમાનદારીનું પ્રતિક એટલે રેંટિયો. 1930ના દાયકામાં એ વખતે દેશમાં ગાંધીજીની ઘેરી છાપ હરતી ત્યારે મંગળદાસ ચોખાવાળા જ્યારે તેમણે દાળના વેચાણ અગે વિચાર્યુ તો તેમણે રેટિંયો નામ રાખ્યુ અને જન્મ થયો રણછોડદાસ ભાઈચંદ રેંટિયો ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડનો.
રણછોડદાસ ભાઈચંદ રેંટિયો ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં તુવેર દાળના વાવેતર, પેકેજિંગ અને પ્રોસેસિંગથી લઈને તમામ ક્ષેત્રે સમયની સાથે બદલાવ અને વિશ્વસનીયતા જાળવી રાખે અને આજે રેંટિયો તુવેરદાળ ઘર ઘરમાં જાણીતી છે.
તુવેર દાળના ફાયદા
આયુર્વેદના મતાનુસાર તુવેર ની દાળ- તુવેરની દાળમા સારી રીતે ઘી મેળવીને ખાવાથી એ વાયડી પડતી નથી. તુવેરની દાળ એ ત્રિદોષહર હોવાથી એ સૌને અનુકુળ પડે છે. તુવેરની દાળ એ તુરી, રૂક્ષ, મધુર, શીતળ, પચવામા હલકી, ઝાડો રોકનાર, વાયુ કરનાર તમે જ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે.
ફાઇબર
તુવેર દાળમાં ફાઇબરની માત્રા સારી હોય છે, તેથી દાળને ખોરાકમાં લેવાથી શરીરને પૂરતાં પ્રમાણમાં ફાઇબર મળે છે, જે રોજ ખાધેલા ખોરાકને સરળતાથી પચાવવાનું કામ કરે છે. ખોરાક સારી રીતે પચી જશે તો બાળકોને વારંવાર પેટના દુઃખાવાની તકલીફ નહીં ઊભી થાય.
પ્રોટીન
દાળમાં ફાઇબરની સાથે-સાથે પ્રોટીનની માત્રા પણ ભરપૂર હોય છે. પ્રોટીન શરીર માટે ખૂબ ગુણકારી છે. બાળકોનાં વિકાસ માટે પ્રોટીનયુક્ત ખોરાક ખૂબ જરૂરી છે. દાળમાં પ્રોટીનની માત્રા સારી હોવાથી તેનો સમાવેશ ખોરાકમાં કરવો.
પેટ ખરાબ થતું રોકે
નાનાં બાળકોને વારંવાર પેટ ખરાબ થઇ જાય છે, તેના કારણે ઝાડા, ઊલટી અને પેટના દુઃખાવાની તકલીફ વારંવાર થયા કરે છે. તુવેરની દાળ ખાવાથી આ તકલીફ નહીં થાય. શરીરને પૂરતાં પ્રમાણમાં લિક્વિડ પણ મળી રહેશે.