પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્ટર અક્ષય કુમારની સાથે ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે શા માટે તેઓ મા, ભાઇ અને બધા સંબંધીઓની સાથે ઘરમાં રહેતા નથી.
એક્ટર અક્ષય કુમારની સાછે નરેન્દ્ર મોદીની વાતચીત રાજકારણથી હટીને મોદીની લાઇફના એ પહેલુઓ પર ફોકસ રહી જેના માટે દુનિયાને કદાચ જ ખબર હોય.અક્ષય કુમારે પીએમ મોદીને સવાર પૂછ્યો કે 'જેમ કે હું મારા ઘરમાં મારી મા સાથે રહું છું, તમારું મન કરે છે સર કે તમારી મા, તમારા ભાઇ તમારા બધા સંબધીઓની સાથે તમે ઘરે રહો?'
મોદીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો 'હું ખૂબ જ નાની ઉંમરમાં બધું છોડી ચુક્યો છું.ખૂબ નાની ઉંમરમાં...જેમ કે મારી મા મને કહે છે, અરેભાઇ મારી પાછળ તું કેમ સમય ખરાબ કરે છે.'
અભિનેતા અક્ષય કુમારે બુધવારે ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂનું ટીઝર જારી કર્યું. અક્ષયે કહ્યું કે આ ઇન્ટરવ્યૂમાં પીએમના કેટલાક અજાણ સત્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર આ ઇન્ટરવ્યૂની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ પહેલા અક્ષય કુમારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે એ એવું કંઇક કરવા જઇ રહ્યો છે જે પહેલા ક્યારેય પણ કર્યું નથી.
શું પીએમ મોદીને કેરી ખાવાનું પસંદ છે, આ પ્રશ્નનો જવાબ આપતા પીએમ મોદીએ જણાવ્યું કે એમને કેરી ખાવાનું પસંદ છે.
પીએમ એ જણાવ્યું કે, જે રીતે પરિવારની પરિસ્થિતિ હતી, ત્યાં કેરી ખરીદવાની ક્ષમતા નહતી, એટલા માટે ખેતરોમાં જતા રહેતા તો ખેડૂત ખાતા રોકે નહીં. જો કે એમને કહ્યું કે હગવે એમને કેરી ખાવા પર કંટ્રોલ કરવો પડે છે.
પીએમ મોદીએ કહ્યું કે ક્યારેય પણ એવો વિચાર નહતો આવ્યો કે પ્રધાનમંત્રી બનીશ. પીએમ મોદીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી તો દૂરની વાત છે જો એમને નાની નોકરી મળી જાત તો એમની મા ખુશ થઇ જાત. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જીવન ચાલતું ગયું અને પીએમ બની ગયો.
પીએમ મોદીએ કહ્યું કે રામકૃષ્ણ મિશન આશ્રમમાં ચાલ્યો ગયો. નવા નવા અનુભવ થવા લાગ્યા. 20 વર્ષની આસપાસની ઉંમરમાં ઘણું ફર્યો, ભટક્યો અને દુનિયા જોઇ. મનમાં પ્રશ્નો ઊભા કરતો હતો અને જાતે જવાબ શોધતો હતો અને ભટકતા ભટકતા અહીંયા પહોંચ્યો.