દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની બેઠેલી JNU યુનિ.માં હુમલાઓ થયા, CCTV સામે આવ્યાં, ઘટનાના વીડિયો પણ વાયરલ થયા પરંતુ હુમલાખોરો હજુ 40 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. શું JNUના હુમલાખોરો ABVPના કાર્યકર્તાઓ હતા એટલે પોલીસ પકડથી દૂર છે કે પછી માત્ર રાજનૈતિક સ્વરૂપ આપવાં જ આ ઘટના બની હતી?
JNUમાં થયેલા હુમલાના હુમલાખોરો હજુય પોલીસ પકડથી દૂર
CCTV અને વાયરલ વીડિયો હોવા છતાં ધરપકડ નહીં
ABVPના કાર્યકર્તાઓ હોવાથી પોલીસ ધરપકડ નથી કરી રહી
વાયરલ વીડિયોમાં ABVPના કાર્યકર્તાઓ હોવાનું એક પ્રાથમિક નજરે દેખાતું હતું. આ સાથે પોલીસે તાબડતોબ તપાસ તો આદરી પરંતુ હજુ સુધી કોઈ જ હુમલાખોર પકડાયો જ નથી. જો કે નવાઈ છે કે આટલાં બધા પુરાવા હોવા છતાં દિલ્હી પોલીસ કોઈ ની પણ ધરપકડ ના કરે. જો કે આ પહેલાં જ્યારે કનૈયા કુમારે ભાષણ આપ્યું હતું અને વિવાદ સર્જાયો હતો ત્યારે 3 જ દિવસમાં તેને જેલભેગો કરાયો હતો. જ્યારે અત્યાર પોલીસ કોની રાહ જોઈ રહી છે.
On the 11th day since the #JNUTerrorAttack, we bring to you a story of resistance.
This is how the women of Sabarmati protected their own. They formed human chains. They refused to cower inside their rooms in fear.
What would you do, if masked terrorists enter your home? pic.twitter.com/AikOj3OTf9
વાયરલ વીડિયોમાં જે ABVPની મહિલા કાર્યકર્તા કોમલ શર્મા દેખાઈ રહી છે. કોમલ યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કરી રહી છે એવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. છતાં પોલીસની નજરે ક્યાં ગઈ છે કે તેને કોમલ હજુ સુધી નથી દેખાતી. આ ઉપરાંત કોમલની ધરપકડ ના કરવાં કોઈનું પ્રેસર તો નથી ને?
કોણ છે કોમલ શર્મા?
વાયરલ થયેલાં અને ધ્યાન ખેંચનાર વીડિયોમાં દંડો પકડીને ઊભી રહેલી દેખાતી ABVPની મહિલા કાર્યકર્તા કોમલ શર્મા છે. એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ આ માહિતી બહાર આવી હતી. જોકે ક્રાઈમ બ્રાંચના સુત્રો મુજબ કોમલ શર્મા દિલ્હીમાં જ હોવા છતાં તેની સાથે કોઈ પ્રકારની પૂછપરછ થઈ નથી.
પોલીસ શું કરી રહી છે?
દિલ્હી પોલીસે ત્રણ FIRના આધારે હુમલામાં 9 વિદ્યાર્થીઓના નામ બહાર પડ્યાં હતાં. જેમાં 7 ડાબેરી અને 2 ABVPના કાર્યકર્તાના નામ અને ફોટો પ્રેસ કોન્ફરન્સમાં બતાવાયા હતાં. પોલીસ કોઈની ધરપકડ કરશે નહીં પણ વિદ્યાર્થીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે એવું પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું.
અહીં આ સવાલ ઉભા થાય છે
શું ABVPના કર્યાકર્તાની ભૂમિકાના કારણે પોલીસની કામગીરી ધીમી પડી રહી છે?
શું કારણ છે કે હુમલા થયાંના લાંબા સમય પછી પણ કોઈની ધરપકડ નથી થઈ?