સામાન્ય રીતે લગ્ન અથવા કોઇ તહેવારમાં તમે જોયું હશે કે લોકો તિલક કરતી વખતે ચોખાનો ઉપયોગ કરે છે. પૂજન સમયે માથામાં કંકુનું તિલક કરતી વખતે ચોખાના દાણા પણ કપાળ પર લગાવવામાં આવે છે. પરંતુ શું તમે એની પાછળનું કારણ જાણો છો...જો ના જાણતા હોય તો જાણો શા માટે
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તિલક લગાવવાથી મગજમાં શાંતિ અને શીતળતા બની રહે છે. અહીંયા ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવતું શુદ્ધ અન્ન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કાચા ચખા સકારાત્મક ઊર્જા પ્રદાન કરનાર હોય છે.
પૂજામાં પણ કુમકુમના તિલકની ઉપર ચોખા એટલા માટે લગાવવામાં આવે છે કેમ કે આપણી આસપાસ જે પણ નકારાત્મક ઊર્જા ઉપસ્થિત હોય એ સકારાત્મક ઊર્જામાં પરિવર્તિ થાય છે.