કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે પ્રધાનમંત્રી ચૂંટણી જીતવા માટે જેટલું જોર લગાવે છે તેટલું જોર કોરોના સામેના જંગમાં કેમ લગાડતા નથી.
કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે સાધ્યું પ્રધાનમંત્રી મોદી પર નિશાન
પીએમ મોદી ચૂંટણી રેલીમાં વ્યસ્ત છે
કોરોના સામેનો જંગ જીતવા માટે શા માટે આવી તાકાત ન લગાડવામાં આવે.
પીએમ મોદી પર નિશાન સાધતા સિબ્બલે જણાવ્યું કે દેશ આજે કોરોનોની બીજી લહેર હેઠળ પીસાઈ રહ્યો પીએમ મોદી ચૂંટણી રેલીમાં વ્યસ્ત છે. પ્રધાનમંત્રી તેમની જવાબદારીની ઉપેક્ષા કરી રહ્યાં છે, સિબ્બલે કહ્યું કે મોદીજી, તમે ચૂંટણી જીતવા માટે તમારી તમામ શક્તિ, માંસપેશીઓની શક્તિ,ફેફસાની શક્તિ, સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છો. તો પછી કોરોના સામેનો જંગ જીતવા માટે શા માટે આવી તાકાત ન લગાડવામાં આવે.
બીજા એક ટ્વિટમાં સિબ્બલે જણાવ્યું કે લોકો કોરોનાથી મરી રહ્યાં છે ત્યારે રેલીઓ બરાબર છે. વિજય દિવ્ય છે પરંતુ તમે જે લડાઈ લડો છો તે કંઈ મારી એકલાની નથી.
રસીકરણ અંગે સરકારની નીતિ ભેદભાવ ભરેલી-રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની રસીકરણની નીતિ ભેદભાવ ભરેલી છે અને તેમાં નબળા વર્ગના લોકો માટે કોઈ ગેરન્ટી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતની રસીકરણની નીતિ વિતરણ કરનાર નહીં પરંતુ ભેદભાવ કરનાર છે.
રાજ્ય સરકારો કોરોના વેક્સિન ખરીદી શકશે
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રસી બનાવનાર કંપનીઓ 50 ટકા વેકિસન અગાઉથી નક્કી થયેલી કિંમત પ્રમાણે રાજ્ય સરકારો અને ઓપન માર્કેટમાં વેચવાની મંજૂરી આપી છે.કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમા કહેવાયું કે રસી બનાવનાર કંપનીઓએ એડવાન્સમાં કિંમતની પણ જાહેરાત કરવી પડશે. તેમણે 1 મે પહેલા જણાવવું પડશે કે રાજ્ય સરકારો અને ઓપન માર્કેટમાં કેટલી કિંમત રસી મળી ખરીદી શકાશે.
કંપનીઓ સીધી રીતે ઓપન માર્કેટમા રસી વેચી શકશે.
સરકારે એવી પણ સ્પસ્ટતા કરી છે કે ભારતમાં જે વેક્સિન બનાવાય છે તેની પર 50-50 ટકાની ફોર્મ્યુલા લાગુ પડે છે. જોકે વિદેશથી આવતા રેડી ટુ યુઝ રસીનો ઉપયોગ સરકારી માધ્યમની બહાર હોય છે. એટલે હવે કંપનીઓ સીધી રીતે ઓપન માર્કેટમા રસી વેચી શકશે.