વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ અને જગ્યા વિશે સમજ આપવામાં આવી છે. ત્યારે ઘરની નંબર પ્લેટ વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વાતો સ્પષ્ટ કરવામાં આવી છે.
ઘરમાં નેમ પ્લેટ હોવી અનિવાર્ય
વાસ્તુ મુજબ લગાવો નંબર પ્લેટ
નહી તો ઘરમાં આવશે નકારાત્મકતા
વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુઓનું સકારાત્મક પરિણામો માટે કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનું વિપરિત પરિણામ જોવા મળી શકે છે. તેવી જ રીતે ઘરની બહાર આપણે જે નેમ પ્લેટ લગાવીએ છીએ તેમાં પણ વાસ્તુના કેટલાક નિયમો છે. જે ઘરની ઓળખની સાથે સાથે પોઝિટીવ એનર્જીને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ઘણા લોકો પોતાના નામની જેમ ઘરનું નામ પણ રાખે છે. ઘરનું નામકરણ કરે છે અને તેની નંબરપ્લેટ પણ લગાડવામાં આવે છે. સાથે જ ઘરના મુખ્ય વ્યક્તિનું નામ પણ લખાવવામાં આવે છે. ઘરની બહાર લગાવેલી નેમ પ્લેટમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.
નેમ પ્લેટને લઇને રાખો આ ધ્યાન
વાસ્તુના જાણકારોનું કહેવુ છે કે નેમ પ્લેટ રાખવા માટે હંમેશા સ્વચ્છ અને સારા આકારની હોવી જોઇએ. વાસ્તુના અનુસાર નેમ પ્લેટનો આકાર લંબચોરસ હોવી જોઇએ.
નેમ પ્લેટ પર નામ બે લાઇનમાં જ લખેલું હોવુ જોઇએ. નેમ પ્લેટને એન્ટ્રી ગેટની જમણી બાજુએ લગાવવી જોઇએ
નેમ પ્લેટ પર લખનારા અક્ષરોની બનાવટ સ્વચ્છ હોવી જોઇએ
નેમ પ્લેટ પર એવી રીતે નામ લખો કે તે ઘણી વધારે ભરેલી ન લાગે. થોડી સ્પેસ પણ હોવી જોઇએ.
નેમ પ્લેટ હંમેશા દિવાલ કે દરવાજાની વચ્ચે જ લગાવવી જોઇએ
નેમ પ્લેટ ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઇએ. સાથે જ તેમાં ક્યાંક ખાડો કે કાણું પડેલુ ન હોવું જોઇએ.
ધ્યાન રાખો કે નેમ પ્લેટ પર ધૂળ ન જામી હોય અને કરોળિયાના ઝાળા ન લાગેલા હોય.
વાસ્તુમાં નેમ પ્લેટનો રંગ અને ઘરના મોભીની રાશિના આધાર પર હોવો જોઇએ
પોતાની પસંદગી અનુસાર નેમ પ્લેટ પર ગણપતિ કે સ્વસ્તિકનો ચિન્હ પણ બનાવી શકીએ છીએ
નેમ પ્લેટ જો સ્હેજ પણ તૂટી જાય કે તેની ચમક ફિક્કી પડી જાય તો તેને તરત જ બદલી નાંખો. નહી તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે નહી.
નેમ પ્લેટ પર ફોક્સ કરવા માટે નાનો બલ્બ પણ લગાવી શકાય છે.
જો આ તમામનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય અને સાથે જ સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા પણ ઘરમાં આવશે.