ગરમીની ધીરે-ધીરે શરૂઆત થઇ રહી છે. ત્યારે ઉનાળામાં તળબૂચ, ટેટી અને દ્રાક્ષ-કેરીની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. જો તમે પાણી પી શકતા ના હોય તો ટેટી ખાવી જોઇએ. કારણ કે ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આજે ટેટીના ફાયદા વિશે જાણીને તમે દરરોજ ટેટી ખાવાનવું ચાલું કરી દેશો.
હૃદય માટે ફાયદાકારક
હૃદય માટે ટેટી ખૂબ ફાયદાકારક છે. એને ખાવાથી હૃદયની બિમારીઓથી બચી શકાય છે. ટેટીમાં રહેલા એડનોસિન શરીરમાં લોહીને પાતળું કરે છે, જેનાથી લોહી જાડું થતાં બચી શકાય છે. એને ખાવાથી હાર્ટ અટેક, કાર્ડિયર અરેસ્ટ, સ્ટ્રોક વગેરેનું જોખમ ઓછું રહે છે.
વજનમાં ઘટાડો
ટેટીમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેને ખાવાથી વજન વધવાનું કોઇ ટેન્શન રહેતું નથી. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે અને એનર્જી બનાવી રાખે છે. એને ખાવાથી પેટ ભરેલું રહે છે.
હાડકાં અને માંસપેશિઓને મજબૂત રાખે
ટેટીમાં રહેલું વિટામીન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે, જેનાથી વૃદ્ધ થવાની નિશાનીઓથી લાંબા સમય સુધી બચાવી શકાય છે. એનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશિઓ મજબૂત રહે છે.
ડાયાબિટીસ
ટેટીમાં ઘણા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે, જે શરીરને ખતરનાક બિમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ટેટી ખૂબ ફાયદકારક હોય છે. એને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.
આંખોની રોશની વધારે
મોટાભાગના લોકોનું માનવું છે કે પપૈયું ખાવાથી આંખોની રોશની બરોબર થાય છે. પરંતુ ટેટીમાં વિટામીન A અને વિટામીન C નું ભરપૂર પ્રમાણ હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. એને ખાવાથી આંખોની રેટીનાના માંસપેશીઓને મજબૂત બનાવે છે.