ભારત સરકારે 59 મોબાઈલ એપ પર બૅન લગાવ્યો છે. દેશની સુરક્ષા, રક્ષા, સંપ્રભુતા અને અખંડતતાની સાથે લોકોની પર્સનલ માહિતીનો ઉલ્લેખ કરીને આ દરેક એપને બૅન કરવામાં આવ્યા છે. તેમાં ટિકટોક જેવા જાણીતા ચાઈનીઝ એપ પણ સામેલ છે. સાથે જ શેરઈટ (Shareit) અને કૈમ સ્કેનર (Camscanner) જેવા ઉપયોગી એપ બૅન કર્યા છે.
ભારત સરકારે બૅન કર્યા 59 ચાઈનીઝ એપ
ભારત સરકારે આ કારણે બંધ કર્યા ચાઈનીઝ એપ
એપ્સ બંધ કર્યા બાદ શું થશે
પ્રશ્ન એ છે કે આ એપ કઈ રીતે બંધ કરવામાં આવશે. શું ફક્ત નવા એપ ડાઉનલોડ કરવાની સુવિધા ખતમ થઈ જશે કે મોબાઈલમાં પહેલાથી જ ચાલુ એપ પણ કામ કરવાનું બંધ કરી દેશે. સરકારના નિર્ણયના આધારે સમજીએ કે હવે શું થશે અને આવું શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેવી રીતે આ નિયમ લાગૂ થશે અને તેની અસર પણ શું થશે.
1. આઈટી એક્ટના નિયમ 69-એના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડતતાને માટે ખતરો છે. આ માટે મોબાઈલ અને નોન મોબાઈલ ઈન્ટરનેટ ડિવાઈસમાં તેમને બૅન કર્યા છે. મોબાઈલ સિવાય કોઈ અન્ય માધ્યમથી પણ એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં.
2. સૂચના અને પ્રોધ્યોગિકી મંત્રાલયની તરફથી કહેવાયું છે કે તેમને મોબાઈલ એપની ખોટી જાણકારી મળી રહી હતી. યૂઝર્સનો ડેટા ભારતથી બહાર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. આ માટે તેની પર આ બૅન લગાવાયો છે.
3. ટેલીગ્રાફ એક્ટના આધારે સંચાર મંત્રાલય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને કોઈ પણ વેબસાઈટ કે એપનો ડેટા રોકવાનું કહી શકાય છે. આ દરેક એપનો ડેટા આવનારા એક દિવસમાં રોકી દેવાશે. ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરથી આ એપ હટાવી દેવાઈ છે. તેના અપડેટ પણ મળશે નહીં.
4. ડેટા રોકવા માટે યૂઝર્સને ફીડ મળવાનું બંધ થયું છે અને ફક્ત જૂના વીડિયો જ જોઈ શકાશે. ચીનમાં આ રીતે ગૂગલ કે ફેસબુક પર રોક લાગેલી છે. દુબઈમાં વોટ્સએપ પર ચેટ થઈ શકે છે, કોલ નહીં. સાથે જ એ પણ જણાવી દઈએ કે આ પ્રતિબંધ થોડા સમય માટેના છે.
5. હવે કેસ એક સમિતિ પાસે જશે. મંત્રાલયના સંયુક્ત સચિવ તેના અધ્યક્ષ છે. અન્ય મંત્રાલયોના પ્રતિનિધિ પણ તેમાં સામેલ છે. પ્રતિબંધિત એપ સમિતિના સામેના પોતાનો પક્ષ રાખે છે. ત્યારબાદ સમિતિ નક્કી કરશે કે પ્રતિબંધ ચાલુ રાખવો કે હટાવી દેવો.
6. ગૃહમંત્રાલયે પોતોના રિપોર્ટમાં આ એપના એ દાવાનું ખંડન કર્યું છે જેમાં કહેવાયું છે કે સર્વર સિંગાપુરમાં છે અને ડેટા ચીન જતો નથી. જ્યારે એપલના રિપોર્ટમાં કહેવાયું છે કે આ એપ પર ડેટા સુરક્ષિત નથી.
7. સરકારના આદેશ બાદ એપ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટિકટોકે પોતાની તરફથી કહ્યું છે કે તેઓ તેની પર કામ કરી રહ્યા છે. સાથે જ ટિકટોકે એમ પણ કહ્યું છે કે કોઈ ભારતીય યૂઝરની જાણકારી અન્ય દેશ, જેમાં ચીન પણ સામેલ છે તેને પણ આપવામાં આવી નથી. પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ટિકટોક હટી ગયું છે.
8. 59 એપ બૅન હોવાની ભારતીય યૂઝર્સ પર મોટી અસર થશે. કેમકે તેમાં દરેક પ્રકારના એપ સામેલ છે, કેટલાક એપ લોકોના એન્ટરટેનમેન્ટ માટે છે તો કેટલાકનો ઉપયોગ પ્રોફેશનલ લેવલે પણ કરવામાં આવે છે. કેટલાક એપ એવા પણ છે જે કામ સરળ કરે છે. ટિકટોકના હાલમાં 100 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. સાથે હેલો, લાઈક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મોટા પ્રમાણમાં ભારતીય યૂઝર્સ છે.
9. આ એપ ભલે જ ચીની હોય, પરંતુ તેનાથી ભારતીય લોકોનો રોજગાર પણ ચાલતો હતો. મોટાભાગના એપના ઓફિસ ભારતમાં છે અને મોટી સંખ્યામાં લોકો અહીં રોજગાર મેળવી રહ્યા છે. એવામાં કોરોના સંકટમાં દેશમાં બેરોજગારીની સમસ્યા પહેલેથી છે. આ એપ કંપનીઓની સાથે જોડાયેલા લોકોની નોકરીને લઈને પણ સંકટ તોળાઈ રહ્યું છે.
10. એક સવાલ એ પણ છે કે શું આ એપ પર બૅન પરમેનન્ટ રહેશે કે થોડા સમય માટે જ રહેશે. હવે આ નિર્ણય કંપની લેશે. પ્રતિબંધિત એપ પોતાનો જવાબ આપશે. તેની પર વિચાર બાદ આગળનો નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર છેલ્લા કેટલાક દિવસ માટે ટિકટોક પર બૅન લગાવાયો છે. કોર્ટનો આદેશ હટતાં જ તેને ફરી ચાલુ કરી દેવામાં આવ્યું હતું.