મોબાઈલ ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને ખૂબ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.
મોબાઈલ ચાર્જર બ્લેક એન્ડ વ્હાઈટ હોવા પાછળનુ શું છે રહસ્ય?
બ્લેક કલર એક આદર્શ ઉત્સર્જક કહેવામાં આવે છે
વ્હાઈટ રંગના ચાર્જરની રિફ્લેટર ક્ષમતા ઓછી હોય છે
મોબાઈલ ચાર્જર માત્ર વ્હાઈટ અથવા કાળા કેમ હોય છે?
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે મોબાઈલ ચાર્જર માત્ર વ્હાઈટ અથવા કાળા કેમ હોય છે? આખરે એવુ કેમ થાય છે કે ચાર્જરને કોઈ બીજા કલરના બનાવવામાં આવતા નથી? જો તમે ક્યારેય આ વાત પર ધ્યાન ના આપ્યું તો આજે અમે તમને તેનુ કારણ જણાવી રહ્યાં છે. ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને બહૂ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.
ચાર્જર કાળા કેમ હોય છે?
ચાર્જર કાળા કેમ હોય છે તેની પાછળનો તર્ક એવો છે કે આ રંગ બીજાની તુુલનામાં હીટ સારી રીતે ઓબ્ઝર્વ કરે છે. બ્લેક કલર એક આદર્શ ઉત્સર્જક કહેવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. જેનુ ઉત્સર્જન માન 1 હોય છે. આ સાથે એવુ પણ કહેવામાં આવે છે કે જો બ્લેક મટીરિયલને ખરીદવામાં આવે તો આ સારું હોય છે. બીજા રંગના મટીરિયલ થોડા મોંઘા હોય છે. બસ આ જ કારણ હોય છે કે ચાર્જર બ્લેક કલરના બનાવવામાં આવે છે.
ચાર્જર વ્હાઈટ કેમ હોય છે?
પહેલા તો ચાર્જર કાળા જ આવતા હતા. પરંતુ ફરીથી ચાર્જરને વ્હાઈટ કલરમાં બનાવવામાં આવ્યાં. ઘણી કંપનીઓ તો એવી પણ છે, જે માત્ર વ્હાઈટ રંગનુ ચાર્જર આપે છે. જેનો તર્ક એવો આપવામાં આવે છે કે તેની રિફ્લેટર ક્ષમતા ઓછી હોય છે. આ રંગ બહારથી આવતી ગરમીને અંદર સુધી પહોંચવા દેતો નથી. આ તેને કંટ્રોલ કરે છે.